898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન

June 24, 2025

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું સોમવારે (23મી જૂન) લંડનમાં 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નીધન થયું. સચિન તેંડુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 22મી ડિસેમ્બર 1947ના રોજ રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો પરંતુ તેમની ચોકસાઈ, ધીરજ અને હવામાં બોલ સ્પિન કરવાની ક્ષમતાથી પોતાની છાપ છોડી દીધી હતી.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે 'X' પર લખ્યું, 'હું દિલીપ ભાઈને પહેલી વાર 1990માં બ્રિટનમાં મળ્યો હતો અને તે પ્રવાસ દરમિયાન તેમણે મને નેટમાં બોલિંગ કરી હતી. તે મને ખૂબ પસંદ કરતા હતા અને હું તેમનો ખૂબ આદર પણ કરતો હતો. દિલીપ ભાઈ એક પ્રેમાળ વ્યક્તિ હતા, તેમની ખૂબ યાદ આવશે. હું તેમની સાથે ક્રિકેટ સંબંધિત વાતચીતને યાદ કરીશ. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.'