Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે દુર્ઘટના

October 07, 2025

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક એક ડમ્પર અને કાર વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર શ્રદ્ધાળુઓ શક્તિમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગરથી માલવણ તરફ પુરઝડપે આવી રહેલા ડમ્પર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચારેય મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે, મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.