ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં, IOCમાં પાકિસ્તાનની રોકકળ
July 18, 2025

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાન સતત રોકકળ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાને 52 મુસ્લિમ દેશોના સંગઠન IOCની બેઠકમાં પણ સિંધુ જળ સંધિના રોતડા રોયા છે. સાઉદી અરેબિયાના જેદ્દામાં આઈઓસીના હ્યૂમન રાઈટ્સ કમિશનરની બેઠક યોજાઈ હતી, જેમાં હાજર રહેલા પાકિસ્તાને રાઈટ ટૂ વૉર’નામના સેશનમાં કહ્યું કે, ભારત અમારા અધિકારોનું હનન કરી રહ્યું છે.
પાકિસ્તાની ઉર્દૂ ભાષાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના રિપોર્ટ મુજબ, આઈઓસીની બેઠકમાં પાકિસ્તાના પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે કહ્યું કે, ભારતે સિંધુ જળ સંધિ અટકાવાનો એકતરફી નિર્ણય લીધો છે, આવું કરી ભારતે વર્લ્ડ બેંકની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. પાણી અમારો મૂળ અધિકાર છે, પરંતુ ભારત તેને છિનવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે પહેલેથી જ પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભારતમાંથી પસાર થતી નદીઓમાં પાણી ઘટશે તો અમે મુશ્કેલીમાં મુકાઈ જઈશું, અમારા વિસ્તારોમાં જળવાયુ સંકટ ઉભી થઈ જશે, પાણીની અછત સર્જાશે, જેના કારણે ખેતીથી લઈને તમામ જરૂરી ચીજવસ્તુઓ પર ખતરો ઉભો થશે.’
ફવાદે કહ્યું કે, અમે સિંધુ જળ સંધિનો મામલો આંતરરાષ્ટ્રીય મંચો પર સતત ઉઠાવીશું. અમારા માટે પાણી ખૂબ જ મોટી સમસ્યા છે.’ પાકિસ્તાની આઈઓસીની બેઠકમાં ભારતની કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો છે, જોકે આ મામલે સંગઠન તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરીને ભારત સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી.
Related Articles
EDની રડાર પર AAPના નેતા : મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ
EDની રડાર પર AAPના નેતા : મની લોન્ડરિંગન...
Jul 18, 2025
કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે
કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે,...
Jul 18, 2025
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિ...
Jul 17, 2025
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
Trending NEWS

17 July, 2025

17 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025