અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ

April 30, 2025

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ થયો છે. અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન થઈ. આ પૂજા બાદ રથના સમારકામનું કામ શરૂ કરાયું, જેમાં રથના પૈડાં અને અન્ય ભાગોની મરામતનો સમાવેશ થાય છે. 

અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજાનારી આ રથયાત્રા માટે તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન થઈ હતી. ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રા ચંદન યાત્રા કહેવાય છે. આ વર્ષે બે નવી બાબતો જોવા મળશે: (1) આતંકવાદ દૂર થાય અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરવામાં આવશે, (2) ગરમીનો પારો વધતાં ઠંડક મળે તે માટે ભગવાનને લીલા નાળિયેર અને નારિયેળ પાણી અર્પણ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે,જગન્નાથ મંદિરમાં ચંદન પૂજા પરંપરાગત રીતે કરવામાં આવી, જે રથયાત્રાની તૈયારીઓનો મહત્વનો ભાગ છે. આ રથયાત્રા શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનું પ્રતીક છે, અને તેની તૈયારીઓથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.