પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું
May 02, 2025

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયનો શ્રેય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપ્યો છે. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, પહલગામ આતંકવાદી હુમલા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના કેન્દ્રના નિર્ણયનો સમય શંકાસ્પદ હતો, કારણ કે તે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી જ આવ્યો હતો.
રાજ્યસભાના સદસ્યએ દાવો કર્યો હતો કે, સરકારનો આ પ્રકારનો નિર્ણય લોકોનું ધ્યાન ફટકાવવા માટે છે. આ દરમિયાન ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલાને લઈને સવાલોનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારે ગત બુધવારે નિર્ણય કર્યો કે, આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત 'પારદર્શક' રીતે સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જાતિ આધારિત સર્વેક્ષણને 'રાજકીય હથિયાર' તરીકે ઉપયોગ કરવા બદલ વિપક્ષી દળોની પણ ટીકા કરી હતી.
Related Articles
દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ, સાત લોકોના મોત
દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ,...
May 02, 2025
હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી : ખડગે
હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથ...
May 02, 2025
કાશ્મીરમાં દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ
કાશ્મીરમાં દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટ...
May 02, 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે ફટકારી નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોન...
May 02, 2025
ભારતની કાર્યવાહીના ડર વચ્ચે પાકિસ્તાનને 57 મુસ્લિમ દેશોનું સમર્થન
ભારતની કાર્યવાહીના ડર વચ્ચે પાકિસ્તાનને...
May 02, 2025
મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, ઘણા લોકોને ઊંઘ નહીં આવે: મોદી
મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, ઘણા...
May 02, 2025
Trending NEWS

02 May, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025