ટીમ ઈન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે ધરખમ ગુજ્જુ બોલર, જાણો સિલેક્ટર્સનો શું છે પ્લાન!

August 12, 2024

ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ આગામી મહિનાથી શરૂ થવાની છે પરંતુ જો તમે વિચારી રહ્યાં છો કે જસપ્રીત બુમરાહ આ સિરીઝથી વાપસી કરી શકે છે તો શક્ય છે કે તમારું અનુમાન ખોટું પડે કારણ કે રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાના સેલેક્ટર્સ તેને હવે બાંગ્લાદેશ વિરુદ્ધ થનારી ટેસ્ટ સિરીઝથી પણ આરામ આપવાના મૂડમાં છે અને જો આવું થાય તો પછી બુમરાહ હજુ 2 મહિના સુધી ટીમ ઈન્ડિયાથી દૂર રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. ભારત પ્રવાસ પર બાંગ્લાદેશ 2 ટેસ્ટની સિરીઝ રમશે, જેને લઈને સમાચાર છે કે બુમરાહ તેનો ભાગ હશે નહીં. જોકે, હજુ આ મુદ્દે કંઈ પણ સત્તાવાર ખબર નથી. બસ રિપોર્ટ્સ છે કે ઘરેલૂ કંડીશન અને શમીના કમબેકના કારણે સેલેક્ટર્સ તેને ન રમાડવાનો નિર્ણય કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સેલેક્ટર્સ હજુ બાંગ્લાદેશ વિરુદ્ધ બુમરાહના રમવા અને ન રમવાને લઈને મંથન કરી શકે છે. આવો નિર્ણય ટીમ ઈન્ડિયાના આગળના શેડ્યૂલને લઈને કરવામાં આવી શકે છે. ભારતે આગામી 4 મહિનામાં 10 ટેસ્ટ રમવાની છે, જેમાંથી 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હશે. દરમિયાન સેલેક્ટર્સ બુમરાહને લઈને સાવધાની રાખતાં જોવા મળી રહ્યાં છે. બુમરાહને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી બહાર રાખવાનું કારણ ભારતની સ્પિન ફ્રેન્ડલી પિચ અને મોહમ્મદ શમીની વાપસી પણ હોઈ શકે છે. શમીની વાપસીથી ભારતના પેસ એટેકમાં જે એક અનુભવની ઉણપ હશે તે પૂરી થઈ જશે. દરમિયાન બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.