સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતાં 3નાં મોત
August 14, 2024
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Related Articles
ગુજરાતમાં મેઘમહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર યથાવત: છેલ્લા 24 કલાકમ...
લાખોના ખર્ચ બાદ ગુજરાતના ધારાસભ્યો હજુ ડિજિટલ યુગથી દૂર
લાખોના ખર્ચ બાદ ગુજરાતના ધારાસભ્યો હજુ ડ...
Aug 13, 2024
વડોદરામાં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્રકે ટક્કર મારતાં મોત, 10 વર્ષ માટે જવાની હતી અમેરિકા
વડોદરામાં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્ર...
Aug 13, 2024
નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરાની કડક કાર્યવાહી
નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રો...
Aug 13, 2024
શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ સામેની ફોજદારી કાર્યવાહી પર HCનો સ્ટે
શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ સામેની ફોજદારી...
Aug 13, 2024
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો : જળસપાટી 135.76 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો...
Aug 13, 2024
Trending NEWS
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
Aug 14, 2024