મુંડન કરાવા જતા પરિવારને નડ્યો અકસ્માત, 7ના મોત, 14 ઘાયલ

March 10, 2025

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. મુંડન કરાવા માટે મૈહર મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલા વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે વાહનમાં સવાર 7 લોકોના મોત થયા. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી, રીવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્યને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સીધી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. જ્યાં શ્રદ્ધાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાયું. જેના કારણે 7 લોકોના મોત થયા હતા. વાહન અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. મુંડન કરાવા માટે મૈહર મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલા વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે વાહનમાં સવાર 7 લોકોના મોત થયા. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી, રીવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્યને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.