ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થતાં હોસ્પિટલાઇઝ કરાઈ

April 20, 2024

વી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અભિનેત્રીની પીઆર ટીમના જણાવ્યા અનુસાર, દિવ્યાંકાને અકસ્માત થયો છે. અકસ્માત બાદ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિવ્યાંકાના અકસ્માત બાદ તેના પતિ અને અભિનેતા વિવેક દહિયાએ પણ તેના તમામ કાર્યક્રમો કેન્સલ કરી દીધા છે, આ અંગેની માહિતી પણ પોસ્ટમાં આપવામાં આવી છે.

હાલ દિવ્યાંકા ડૉક્ટરોની દેખરેખમાં છે. દિવ્યાંકા ત્રિપાઠીની પીઆર ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં માહિતી આપતા તેણે કહ્યું કે દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. આ કારણોસર તેના પતિ વિવેક દહિયાએ પણ તેનું લાઇવ સેશન કેન્સલ કરી દીધું છે.

પોસ્ટમાં લખ્યું છે કે 'અમને જણાવતા દુઃખ થાય છે કે વિવેકનું આવતીકાલનું લાઇવ સેશન રદ કરવામાં આવ્યું છે. દિવ્યાંકાને થોડા કલાકો પહેલાં અકસ્માત થયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તેના સ્વસ્થ થયા બાદ વિવેક તેની સાથે છે. તમારા સમર્થન બદલ અમે તમારો આભાર માનીએ છીએ.