શાળા પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત
August 27, 2025

પંજાબ સરકારે ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી હોવા છતાં, દીનાનગરના ગામ દબૂરીમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની બેદરકારીને કારણે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. જોકે પ્રિન્સિપાલનું કહેવું છે કે બધા સુરક્ષિત છે. બાળકોને બચાવવા માટે ટીમોએ કામ શરુ કરી દીધું છે. ડીસીએ જણાવ્યું કે, રહેણાંક વિસ્તારમાં આવેલી શાળામાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો ફસાયેલા છે, જેમાં લગભગ 400 બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે NDRF સહિત પ્રશાસનની અન્ય ટીમો મોકલવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે ભારે વરસાદને કારણે રાજ્યની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આ આદેશ છતાં, દબૂરીની નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને બોલાવાયા અને શાળા પ્રશાસને તેમને બહાર જવા દીધા નહીં. સતત વરસાદને લીધે શાળાની આસપાસ પાણી ભરાયું, જેના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અંદર ફસાયા. સ્થાનિક ગ્રામીણોએ જણાવ્યું કે શાળાની આસપાસના રસ્તાઓ અને ગલીઓમાં પણ પાણી ભરાયેલું છે, જેનાથી રાહત અને બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. કેટલાક વાલીઓ સ્થળ પર પહોંચ્યા, પરંતુ પાણીની સ્થિતિને કારણે તેઓ પણ પોતાના બાળકો સુધી પહોંચી શક્યા નહીં.
Related Articles
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારત...
Aug 27, 2025
ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચીતમાં ઉર્જાથી લઈને સંરક્ષણ સંબંધિત થઈ ચર્ચા
ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ...
Aug 27, 2025
ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓપન કરતા જ ખાતામાંથી ઉપડી ગયા પૈસા
ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિ...
Aug 27, 2025
મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો કહેર
મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથ...
Aug 27, 2025
વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી, 31 લોકોના મોત, ફરી ભારે વરસાદની આગાહી
વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે...
Aug 27, 2025
Trending NEWS

કાજીકી વાવાઝોડાએ વિયેતનામના ઉત્તર અને મધ્ય ભાગોમાં...
27 August, 2025

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અન...
27 August, 2025

ભારત-પાકિસ્તાન યુદ્ધ નહી રોકે તો તેઓ પર એટલો ટેરિફ...
27 August, 2025

ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચ...
27 August, 2025

ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓ...
27 August, 2025

વેપાર સમજૂતી પર જલ્દી જ સમાધાન નીકળશે, ટ્રમ્પના ટે...
27 August, 2025

મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો...
27 August, 2025

બોલિવુડ સિંગર રાહુલ ફાઝલપુરિયાની હત્યાની કોશિશ નાક...
27 August, 2025

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ
27 August, 2025

વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી, 31...
27 August, 2025