ચાર જગદગુરુએ પરીક્ષા લીધી, ફિલ્મોમાં વાપસી અશક્ય..: મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ શેર કર્યો અનુભવ
January 27, 2025
જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ચૂકી છે. મહાકુંભ 2025માં મમતા કુલકર્ણીએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારબાદ તેણે કિન્નર અખાડાનો ભાગ બનવાની જાહેરાત કરી હતી. 24 જાન્યુઆરીને સંધ્યાએ મમતાએ પોતાનું પિંડદાન કર્યું હતું. ત્યારબાદ કિન્નર અખાડામાં તેનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો. મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, '144 વર્ષ પછી આવો અવસર આવ્યો છે. ત્યારે મને મહામંડલેશ્વર બનાવવામાં આવી છે. આ આદ્યશકિત જ કરી શકે છે. મેં કિન્નર અખાડાને એટલા માટે પસંદ કર્યું કારણ કે આ અખાડામાં કોઈ પણ જાતનું બંધન નથી, આ સ્વતંત્ર અખાડો છે. તમને જીવનમાં બધું જ જોઈએ છે. પરંતુ ધ્યાન એવી વસ્તુ છે કે જે તમને ભાગ્યે જ મળે છે. સિદ્ધાર્થે (ગૌતમ બુદ્ધ) પણ જીવનમાં ઘણું બધું જોયું હતું પરંતુ પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું.' કિન્નર અખાડાનો ભાગ બન્યા પછી મમતા કુલકર્ણીએ નામ બદલાવીને શ્રી યામીની મમતા નંદ ગીરી કરી દીધું છે. મહામંડલેશ્વર બનવાનની પક્રિયાને લઈને કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'ચાર જગદગુરુએ મારી પરિક્ષા લીધી હતી. મને ઘણાં કઠિન સવાલો પૂછવામાં આવ્યા હતાં. મારા જવાબથી તેઓ સમજી ગયા કે મેં કેટલી તપસ્યા કરી છે. છેલ્લા બે દિવસથી તેઓ મને મહામંડલેશ્વર બનવાની વિનંતી કરી રહ્યા હતા.'મમતાને એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે, શું તે ફરીથી ફિલ્મોમાં કામ કરશે? તેના જવાબમાં મમતાએ કહ્યું હતું કે, 'આની તો હું કલ્પના પણ ન કરી શકું, આ મારા માટે શક્ય નથી. કિન્નર અખાડાના લોકો પોતે જ પરમેશ્વર છે. આ લોકો સદા શિવ આદિશક્તિના સ્વરૂપ છે. આ મારા 23 વર્ષના અભ્યાસ માટે ઓલમ્પિકસ મેડલ જીતવા સમાન છે.' કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠીએ મમતા અંગે જણાવતા કહ્યું હતું કે, 'છેલ્લા 2 વર્ષોથી મમતા અમારા સંપર્કમાં હતી. તે સનાતન સાથે જોડાવવા માંગતી હતી. અગાઉ તે જુના અખાડાની શિષ્ય હતી. પછી તે અમારા સંપર્કમાં આવી હતી ત્યારે તેણે પદની માંગણી કરી હતી. ત્યારે અમે તેને બધી જ પ્રક્રિયા વિશે જણાવ્યું હતું.'
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026