Breaking News :
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા

દક્ષિણ ઈરાનમાં શહીદ રાજાઈ બંદર પર થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃતકોનો આંકડો 20થી વધુ થયો, 750થી વધુ ઘાયલ

April 28, 2025

દક્ષિણ ઈરાનના હોર્મુઝગાન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શહીદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 750થી વધુ ઘાયલ થયા છે. આ સાથે જ વિસ્ફોટથી આકાશમાં ધુમાડાનો એક મોટો ગોટો ફેલાઈ ગયો અને આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

દક્ષિણ ઈરાનના હોર્મુઝગાન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શહીદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 750થી વધુ ઘાયલ થયા છે. આખરે કેવી રીતે થયો વિસ્ફોટ, તેની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટથી આકાશમાં ધુમાડાનો એક મોટો ગોટો ફેલાઈ ગયો અને આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન પહોંચ્યું. વિસ્ફોટ શનિવારે એ સમયે થયો જ્યારે ઈરાન અને અમેરિકાના અધિકારીઓ તેહરાનના ઝડપથી આગળ વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર ત્રીજા રાઉન્ડની વાતચીત માટે ઓમાનમાં મળ્યા હતા.

જો કે, વાતચીતનું નેતૃત્વ કરી રહેલા ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સ્વીકાર્યું હતું કે ''પાછલા ઉદાહરણોને જોતા અમારી સુરક્ષા સેવાઓ હાઈ એલર્ટ પર છે.'' જો કે, ઘાયલોને નજીકના તબીબી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. પડોશી ફાર્સ પ્રાંતની રાજધાની શિરાઝમાં 90 પથારીવાળી હોસ્પિટલને પણ આ ઘટનામાં સંભવિત રીતે ઘાયલોને દાખલ કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.