Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

મોરબી ઝૂલતા પુલકાંડ: 10 આરોપીઓ સામે કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું

November 20, 2024

મોરબીમાં ઝૂલતા પુલકાંડમાં 135 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા. સમગ્ર ઘટના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે આરોપીએ તેમની સામે કરાયેલો ગુનો બનતો ન હોવાનો દાવો કર્યો હતો. 

સમગ્ર ઘટનામાં દસ આરોપીએ ચાર વકીલ મારફતે કોર્ટમાં અલગ-અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેમાં સરકાર દ્વારા અરજીને લઈને વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે.

મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કહ્યું કે, 'મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી. ગઈ મુદતમાં નામદાર કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં કોર્ટે સૂચિત તહોમતનામું રજૂ કરવા કહ્યું હતું. જેમાં દસ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ નોંધાયેલી ફરિયાદના આધારે સૂચિત તહોમતનામું (પ્રોવિઝનલ ચાર્જ) રજૂ કરવામાં આવ્યું છે.'

મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.