Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

યુદ્ધવિરામ પડી ભાંગતા ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં 700થી વધુ મોત

March 26, 2025

સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઇઝરાયેલી સેનાએ સાથે જ ગાઝાના આ વિસ્તારોમાં રહેતા હજારો લોકોને તાકીદે વિસ્તાર ખાલી કરી દેવાના આદેશ પણ આપ્યા હતા. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે બે મહિના સુધી ચાલેલી યુદ્ધવિરામ સંધી તૂટી પડયા બાદ ગત સપ્તાહે ઇઝરાયેલ દ્વારા શરુ કરવામાં આવેલા ભીષણ હુમલાઓમાં હજુ સુધીમાં લગભગ 700 લોકોના મોત થયા છે અને મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે.

પેલેસ્ટેનિયન આરોગ્ય અધિકારીઓના અનુસાર ઇઝરાયેલ તરફથી થયેલા હુમલાઓને કારણે ગાઝામાં પ્રવર્તમાન માનવીય સંકટ વધુ ઘેરું બન્યું છે. મંગળવારે ઇઝરાયેલી સેનાએ ઉત્તરી સરહદે આવેલા શહેરો અને નગરોના લોકોને વિસ્તારને ખાલી કરી દેવા જણાવ્યું હતું. તેણે પેલેસ્ટાઇન તરફથી થઇ રહેલા રોકેટ મારાને ટાંકીને આ આદેશ આપ્યા હતા.