રજનીકાન્ત અને મણિરત્નમ 33 વર્ષ પછી ફરી સાથે કામ કરશે

October 09, 2024

મુંબઇ : રજનીકાન્ત અને મણિરત્નમ ૩૩ વરસ પછી ફરી એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જોકે , આ ફિલ્મની સત્તાવાર ઘોષણા અભિનેતાના ૧૨ ડિસેમ્બરના જન્મદિવસે કરવામાં આવે તેવી શક્યતા છે.  છેલ્લે ૧૯૯૧માં રજનીકાંતે મણિરત્નમની 'થલપતિ' ફિલ્મમાં કામ કર્યું હતું. રજનીકન્તના પ્રશંસકોની ધારણા છે કે નવી ફિલ્મ 'થલપતિ'ની રીમેક હોઈ શકે છે.   જોકે આ ફિલ્મ વિશે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રશંસકો  સત્તાવાર રીતે  ફિલ્મની ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. 'થલપતિ'ની વાર્તા મહાભારત પર આધારિત હતી. મહાભારતમાં કર્ણ અને દુર્યોધન વચ્ચે મૈત્રીની વાત છે તે આ ફિલ્મમાં આધુનિક સેટિંગમાં ઢાળવામાં આવી હતી. રજનીકાંતે કર્ણ પર આધારિત  સૂર્યનો અને મામુટીએ દુર્યોધન પરથી આધારિત દેવરાજનો રોલ કર્યો હતો. રજનીકાંત તમિલ ફિલ્મોમાં આઈકોનનું  સ્ટેટસ ધરાવે છે. બીજી તરફ મણિરત્નમની ગણના પણ ટોચના દિગ્દર્શકોમાં થાય છે. આમ છતાં આ બંને મહારથીઓએ ત્રણ દાયકાથી કોઈ ફિલ્મ સાથે કરી નથી તેનો વસવસો પણ બંનેના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.