CJI બનતાં જ સંજીવ ખન્નાએ તત્કાળ સુનાવણીની અગાઉની વ્યવસ્થા બદલી
November 13, 2024
દેશના નવનિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) સંજીવ ખન્ના પોતાના કાર્યકાળના બીજા જ દિવસે એટલે કે મંગળવારે ફુલ એક્શનમાં જોવા મળ્યા હતાં. તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસીસની તત્કાળ સુનાવણીના મોરચે નવી વ્યવસ્થા દાખલ કરવાનો આદેશ કરી દીધો છે.
તેમણે જણાવ્યું હતું કે કેસીસને તત્કાળ સૂચિબદ્ધ કરવા અને તેના પર સુનાવણી માટે મૌખિક ઉલ્લેખ કરવાની મંજૂરી હવે આપવામાં નહીં આવે. તેમણે વકીલોને તેના માટે ઇ-મેલ અથવા લેખિત પત્ર મોકલવાનો આગ્રહ કર્યો છે. સામાન્ય રીતે વકીલો દિવસની કામગીરીની શરૂઆતમાં સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ પોતાના કેસ પર તત્કાળ સુનાવણી કરવા માટે મૌખિક વિનંતી કરે છે.
સીજેઆઈ ખન્નાએ આ જૂની પરંપરાને બદલતાં કહ્યું હતું કે હવે કોઈ મૌખિક ઉલ્લેખ નહીં થાય. ફક્ત ઇ-મેલ અથવા લેખિત પત્ર મારફત જ તત્કાળ સુનાવણી માટેની વિનંતીનો સ્વીકાર કરવામાં આવશે, જો કે તેના માટે વકીલે પત્રમાં કેસની તત્કાળ સુનાવણી માટેની આવશ્યકતાના કારણો જણાવવા પડશે.
Related Articles
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસ...
May 19, 2026
મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા
મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે...
May 19, 2026
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડ...
May 18, 2026
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
Trending NEWS
17 May, 2026
16 May, 2026