Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ગુજરાતમાં ત્રણ સહિત દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે

December 06, 2024

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવા નવોદય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ કુલ ત્રણ કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે. 


મોદી કેબિનેટે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આશરે 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ નવી રોજગારીનું પણ સર્જન થશે. સરકારે આ માટે કુલ 5872 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 28 નવા નવોદય વિદ્યાલય બનાવવામાં આવશે. જેનાથી 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે નવા કેન્દ્રીય અને નવોદય વિદ્યાલય માટે કુલ 8232 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. 
દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. જેમાં અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય વિદ્યાલય ઉપરાંત દિલ્હી મેટ્રોના ફેઝ-4 કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે. જૂનમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ફોકસ કર્યું છે. નોંધનીય છે કે, મોદી સરકારે પોતાની ત્રીજી ટર્મમાં અત્યાર સુધી કુલ રૂ. 9.5 લાખ કરોડના નિર્ણયો લીધા છે.