22 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ:સવારે 6:23 વાગ્યે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
March 20, 2023
ચૈત્ર નવરાત્રિની શરુઆત બુધવાર, 22 માર્ચ 2023થી થઈ રહી છે. આ દિવસે જ ચૈત્ર મહિનાનાં પહેલા શુક્લ પક્ષની તિથિ એટલે હિંદૂનવવર્ષની પણ શરુઆત થશે. નવરાત્રિનો તહેવાર 22 માર્ચનાં રોજ શરુ થશે અને 30 માર્ચ સુધી ચાલશે. હિંદૂ ધર્મમાં નવરાત્રિનાં નવ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે અને વ્રત કરવા માટે આ દિવસોમાં કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. આ વ્રતની સાથે તેના નિયમોનું પાલન કરવું પણ જરુરી છે તો જ દેવી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તો ચાલો જ્યોતિષાચાર્ય મુજબ આ નવરાત્રિ દરમિયાન ક્યા-ક્યા નિયમોનું પાલન કરવુ જોઈએ? તેના વિશે જાણીએ.
નવરાત્રિ પર ઘરનાં મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી પણ શુભ માનવામાં આવે છે. નવરાત્રિનાં પહેલા દિવસે ઘરનાં મુખ્ય દ્વાર પર રંગોળી બનાવી અને ઘરનાં દરવાજા પર કુમકુમથી શુભ-લાભ લખો.
નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજાસ્થળ પર માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરો. ત્યારબાદ વિધિવત પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
નવરાત્રિનાં નવ દિવસ સાત્વિક ભોજનનું જ સેવન કરવુ જોઈએ. વ્રત કરનારા લોકોએ ભોજન કે ફળાહાર પણ કરવું જોઈએ. ફળાહાર કરવું એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.
નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઈએ. નવરાત્રિનાં નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં નખ અને વાળ પણ કાપવા જોઈએ નહી.
કળશની સ્થાપના કરવા માટે સૌથી પહેલા વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને સાફ કપડા પહેરવા. મંદિરની સાફ-સફાઈ કરીને તેની નીચે સફેદ કે લાલ રંગનું કપડું પાથરો. આ કપડા પર થોડા ચોખા રાખો. એક માટીનાં પાત્રમાં જવ વાવી દો. આ પાત્ર પર પાણીથી ભરેલા કળશની સ્થાપના કરો. કળશ પર સ્વસ્તિક બનાવીને તેના પર કલાવા બાંધો.
કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત ઉમેરીને અશોકના પાન રાખો. એક શ્રીફળ લો અને તેના પર ચૂંદડી ઓઢાડીને કલાવા બાંધી લો. આ શ્રીફળને કળશની ઉપર રાખીને દેવી દુર્ગા માતાનું આવાહન કરો. તે પછી દીવડો પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા માટે સોનુ, ચાંદી, તાંબુ, પીતળ કે માટીનો કળશ સ્થાપિત કરવામાં આવી શકે છે.
ચૈત્ર નવરાત્રિ પૂજન માટે પૂજાની સામગ્રીનું લિસ્ટ
માતા દુર્ગાની ફોટો, સિંદુર, કેસર, કપૂર, ધૂપ, વસ્ત્રો, અરીસો, કાંસકો, બંગડીઓ, સુગંધિત તેલ, ચોકી માટે લાલ કપડું, પાણીવાળું શ્રીફળ, દુર્ગાસપ્તશતી બુક, આંબાના પાંદડાનું તોરણ, ફૂલ, દુર્વા, મહેંદી, બિંદી, આખી સોપારી, હળદરની ગાંઠ, આસન, પાંચ મેવા, ઘી, લોબાન, ગૂગળ, લવિંગ, કમલગટ્ટા, સોપારી, કપૂર, હવનકુંડ, રોલી, મોલી, પુષ્પહાર, બિલીપત્ર, કમલગટ્ટા, દીવડો, નૈવૈદ્ય, મધ, સાકર, પંચમેવા, જાયફળ, લાલ રંગની બંગડીઓ, ફળ, મિઠાઈ, દુર્ગા ચાલીસા અને આરતીની બુક વગેરે.
Related Articles
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી,...
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું...
Mar 23, 2024
હોળાષ્ટક દરમિયાન શું કરવું - શું ના કરવું ? શિવની પૂજા કરવાથી તમામ આફત ટળી જશે!
હોળાષ્ટક દરમિયાન શું કરવું - શું ના કરવુ...
Mar 19, 2024
અબુ ધાબીના બીએપીએસ મંદિરમાં પહેલા દિવસે 65 હજારથી વધુ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
અબુ ધાબીના બીએપીએસ મંદિરમાં પહેલા દિવસે...
Mar 04, 2024
આજે વસંત પંચમી : પીળા રંગનું વિશેષ મહત્ત્વ, જાણો શું છે આ દિવસનો મહિમા અને ઉપાય
આજે વસંત પંચમી : પીળા રંગનું વિશેષ મહત્ત...
Feb 14, 2024
10 વર્ષ બાદ બની રહ્યો છે 'આદિત્ય મંગલ યોગ', ત્રણ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, મંગળ-સૂર્યદેવની રહેશે વિશેષ કૃપા
10 વર્ષ બાદ બની રહ્યો છે 'આદિત્ય મંગલ યો...
Feb 05, 2024
Trending NEWS
27 March, 2024
27 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
Mar 24, 2024