Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

અમેરિકા સાથે ટેરિફ વૉર વચ્ચે ચીને ભારત તરફ લંબાવ્યો મિત્રતાનો હાથ

March 07, 2025

ચીનની આયાત પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત વચ્ચે ચીને વર્ષોથી પોતાના દુશ્મન ગણતાં ભારત તરફ મિત્રતાના હાથ લંબાવ્યા છે. ચીનના નાણા મંત્રી વાંગ યીએ નિવેદન આપ્યું છે કે, નવી દિલ્હી અને બેઇજિંગ એક સાથે મળીને કામ કરે તો વિશ્વમાં મહાસત્તા તરીકે ઉભરી આવી શકે છે. નેશનલ પીપલની કોંગ્રેસ મીટમાં વાંગે કહ્યું કે, 'ડ્રેગન (ચીન) અને એલિફન્ટ(ભારત)એ હવે સાથે મળીને ડાન્સ કરવાની જરૂર છે. એકબીજાને નીચા દેખાડવાના બદલે એકબીજાને સહકાર આપતા મજબૂત તાકાત તરીકે ઉભરી આવવાની જરૂર છે. ગતવર્ષે પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષથી ચાલી રહેલી લશ્કરી ગતિવિધિઓનો અંત આવ્યા બાદ બંને દેશો તમામ સ્તરે સંબંધો સુધરી રહ્યા છે. ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ જિનપિંગની સફળ મુલાકાત બાદ ચીન અને ભારતના સંબંધ છેલ્લા એક વર્ષથી સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યા છે.'


ભારતે આ નિવેદન અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, ગુરુવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત સરકાર ચીન સાથે સંબંધો સુધારવા સકારાત્મક ધોરણે કામગીરી કરી રહ્યું છે. જેના માટે ચીનના નિયંત્રણ હેઠળના સ્થળોએ યાત્રાઓ ફરી શરુ કરવી, સીધી ફ્લાઇટ્સ અને પત્રકારોનું આદાનપ્રદાન સામેલ હશે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યા પછી દ્વિપક્ષીય સંબંધોને બેઇજિંગ કેવી રીતે જુએ છે તે અંગેના પ્રશ્નના જવાબમાં વાગ યીએ આ નિવેદન આપ્યું હતું. યીએ આગળ જણાવ્યું હતું કે, ‘ગતવર્ષે રશિયામાં કઝાન બેઠકમાં બંને દેશના વડાઓ વચ્ચે થયેલી વાતચીતો અને લેવાયેલા નિર્ણયોનું બંનેએ ગંભીરતાપૂર્વક પાલન કર્યું છે. તમામ સ્તરે તેનું આદાનપ્રદાન કરતાં વ્યવહારુ સહયોગને મજબૂત બનાવ્યો છે. જેના લીધે શ્રેણી બદ્ધ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.’ ભારત અને ચીને ગયા વર્ષના અંતમાં પૂર્વી લદ્દાખના બે ઘર્ષણ બિંદુઓ, ડેપ્સાંગ અને ડેમચોકમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે કરાર કર્યા હતા. આ કરાર સાથે બંને દેશોના સંબંધોમાં ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલી અસ્થિરતાનો અંત આવ્યો છે.