Breaking News :
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ, 178 વિમાનોની હવાઈ યોગ્યતા તપાસાશે ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ પકડાયું, 7 મેડિકલ પેઢીઓને ફટકારી નોટિસ

'PoK પાછો લેવાથી કોણે રોક્યા છે...', ઓમર અબ્દુલ્લાહના પ્રહાર

March 07, 2025

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે (છઠ્ઠી માર્ચ) પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) પર વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, 'જો પાકિસ્તાન પીઓકેમાંથી ખસી જાય તો કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. એસ જયશંકરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'તેમને કોણે રોક્યા છે?' જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે જમાવ્યું હતું કે, 'જો કેન્દ્ર સરકારને PoK પાછું મેળવવાની ક્ષમતા હોય તો તે દિશામાં પગલાં લે. શું આપણે તેમને ક્યારેય રોક્યા? પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન તેમને તેને પાછું લાવવાની તક મળી હતી. પરંતુ તે કરી શક્યા નહીં. જો તેઓ તેને પાછું લાવી શકે છે.' મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં છે, જ્યારે બીજો ભાગ ચીનના કબજામાં છે. આ વિશે કોઈ કેમ વાત કરતું નથી?'