Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

લડનમાં એસ. જયશંકરની કાર સામે વિરોધમાં શામેલ ખાલિસ્તાનીઓની સંપતિ થઈ શકે જપ્ત

March 08, 2025

લંડનમાં જયશંકરની કારને રોકનાર દેખાવકારો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. એક અહેવાલ મુજબ ભારતીય તપાસ એજન્સીઓ આ ખાલિસ્તાની દેખાવકારોના ભારત કનેક્શનની તપાસ કરશે. સૂત્રોનું કહેવું છે કે ઉપલબ્ધ વિડિયો ફૂટેજના આધારે દેખાવકારોની ઓળખની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તપાસ એજન્સીઓને આશંકા છે કે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સામે થોડા મહિના પહેલા થયેલા હિંસક પ્રદર્શનમાં સામેલ કેટલાક પ્રદર્શનકારીઓ પણ આ પ્રદર્શનમાં ભાગ લઈ શકે છે.

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં હાજર આ ખાલિસ્તાની સમર્થકોની મિલકતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રી જયશંકરની કાર રોકવાના કેસમાં જો તેમની સંડોવણી સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે.રાષ્ટ્રીય તપાસ એજન્સી બ્રિટનમાં સ્થિત ભારતીય હાઈ કમિશનની સામે હિંસક પ્રદર્શનના મામલાની તપાસ કરી રહી છે અને ભારતીય તપાસ એજન્સીઓ આ મામલે બ્રિટિશ તપાસ એજન્સીના સતત સંપર્કમાં છે.