લડનમાં એસ. જયશંકરની કાર સામે વિરોધમાં શામેલ ખાલિસ્તાનીઓની સંપતિ થઈ શકે જપ્ત

March 08, 2025

લંડનમાં જયશંકરની કારને રોકનાર દેખાવકારો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. એક અહેવાલ મુજબ ભારતીય તપાસ એજન્સીઓ આ ખાલિસ્તાની દેખાવકારોના ભારત કનેક્શનની તપાસ કરશે. સૂત્રોનું કહેવું છે કે ઉપલબ્ધ વિડિયો ફૂટેજના આધારે દેખાવકારોની ઓળખની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તપાસ એજન્સીઓને આશંકા છે કે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સામે થોડા મહિના પહેલા થયેલા હિંસક પ્રદર્શનમાં સામેલ કેટલાક પ્રદર્શનકારીઓ પણ આ પ્રદર્શનમાં ભાગ લઈ શકે છે.

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં હાજર આ ખાલિસ્તાની સમર્થકોની મિલકતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રી જયશંકરની કાર રોકવાના કેસમાં જો તેમની સંડોવણી સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે.રાષ્ટ્રીય તપાસ એજન્સી બ્રિટનમાં સ્થિત ભારતીય હાઈ કમિશનની સામે હિંસક પ્રદર્શનના મામલાની તપાસ કરી રહી છે અને ભારતીય તપાસ એજન્સીઓ આ મામલે બ્રિટિશ તપાસ એજન્સીના સતત સંપર્કમાં છે.