70 વર્ષે પહેલીવાર શ્રાવણિયા સોમવારનો અનોખો સંયોગ, સોમવારથી પ્રારંભ અને સોમવારે જ સમાપ્તિ
August 05, 2024
અમદાવાદ : તપ,જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ માસનો સોમવારે પ્રારંભ અને 2 સપ્ટેમ્બર-સોમવારના પૂર્ણાહૂતિ થશે. 3 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ છે.
આ વખતે શ્રાવણ માસમાં શિવજીને અત્યંત પ્રિય એવા પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે. શ્રાવણ માસમાં પાંચ સોમવાર હોય તેવું ત્રણ વર્ષ બાદ પ્રથમવાર બનશે. આગામી એક માસ ભક્તો શિવની આરાધનામાં લીન બનશે. શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોની હેલી પણ સર્જાશે.
સોમવારથી શરૂ થતો શ્રાવણ પાંચમાં સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો તેવો અનોખો યોગ કહો કે સંયોગ સાત દાયકા બાદ ફરી થવા જઈ રહ્યો છે. હાલ વિક્રમ સંવત 2080 ચાલી રહ્યું છે. આ પહેલા વિક્રમ સંવત 2010 અને વર્ષ 1953માં ઓગસ્ટ માસની 10મી તારીખે સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થયો હતો. 71 વર્ષ બાદ ફરી આવો સંયોગ રચાઈ રહ્યો છે.
શ્રાવણ માસ બારેય માસમાં અધિક પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભકિત ધાર્યુ અને ઇચ્છિત ફળ સરળતાથી અપાવે છે. શ્રાવણ માસને લઈ અમદાવાદ શહેર સહિત રાજયભરના તમામ શિવાલયોમાં પણ ભોળાનાથના વિશેષ સાજ-શણગાર, પૂજન-અર્ચન, બિલ્વ અભિષેક, આરતી- પ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે. શ્રાવણ માસને લઈ શિવભકતોમાં તપ, આરાધના અને ભકિતનો માહોલ છવાયો છે.
નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, તુલસીદાસ જયંતિ, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, વ્રતની પૂનમ, ચાતુર્માસ, હિંડોળા, બોળચોથ, જન્માષ્ટમી, પર્યુષણ મહાપર્વ, ફુલકાજળી વ્રત જેવા અસંખ્ય પવિત્ર તહેવારો 17 ઓગસ્ટ બાદ આવશે. અધિક શ્રાવણ માસના પ્રથમ દિવસે જ્યોર્તિલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ, નાગેશ્વર, ઉજ્જૈનના મહાકાલમાં પહોંચ્યા છે.
અમદાવાદના શિવ મંદિરોમાં પણ આગામી બે માસ માટે પૂજન-અર્ચન માટે વિશિષ્ટ આયોજન કરાશે. અમદાવાદના પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ, રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, ઈન્દિરાબ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામના પ્રાચિન શિવ મંદિર, સિગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે.
Related Articles
રક્ષાબંધને 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ:19મીએ બપોરે 1:32 સુધી રાખડી બાંધી શકાશે નહીં, બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી શ્રેષ્ઠ મુહૂર્ત
રક્ષાબંધને 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ:19મી...
પૂર્ણ શ્રદ્ધાથી શિવજીને ચડાવો અખંડ બિલ્વપત્ર, શિવપૂજા થશે પૂર્ણ
પૂર્ણ શ્રદ્ધાથી શિવજીને ચડાવો અખંડ બિલ્વ...
Aug 13, 2024
શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ, સવારે 4 વાગે મંદિરના દ્વાર ખોલાયા
શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્...
Aug 12, 2024
પહેલા સપનામાં દેખાય શ્રીકૃષ્ણનું કોઈપણ રૂપ, તો કેવું મળશે ફળ
પહેલા સપનામાં દેખાય શ્રીકૃષ્ણનું કોઈપણ ર...
Aug 10, 2024
શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ 3 રાશિઓના લોકો બનશે ધનિક
શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ...
Jul 18, 2024
પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નીજ મંદિર પરત ફરશે
પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભા...
Jul 15, 2024
Trending NEWS
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
Aug 13, 2024