પહેલા સપનામાં દેખાય શ્રીકૃષ્ણનું કોઈપણ રૂપ, તો કેવું મળશે ફળ
August 10, 2024
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો કંઈ ને કંઈ અર્થ હોય છે. કેટલાક ભૂતકાળ સાથે તો કેટલાક ભવિષ્યની ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે. કેટલાક સપના ડરાવે છે, કેટલાક નવી આશા આપે છે. જો તમને પણ સપનામાં ભગવાન કૃષ્ણ, લડ્ડુ ગોપાલની મૂર્તિ, ગોપી, મોરપંખ અને વાંસળી દેખાય તો જાણો તેનો અર્થ શું થાય છે.
સપનામાં કૃષ્ણનું દેખાવવું
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં શ્રીકૃષ્ણનું દેખાવવું શુભ માનવામાં આવે છે. આ સંકેત છે કે જલ્દી તમારા જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. પાર્ટનરની સાથે સંબંધ વધુ ઘેરો બને છે. જીવનમાં પ્રેમ, સુખ -શાંતિ અને ખુશહાલી કાયમ રહેશે. સાથે જ આવકમાં પણ વધારો થઈ શકે છે. આ સિવાય કૃષ્ણજી અને રાધા રાણીનું સાથે દેખાવવું પણ શુભ હોઈ શકે છે.
શ્રીકૃષ્ણ અને ગોપીનું સાથે દેખાવવું
સપનામાં જો તમને શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે દેખાય છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનાનો અર્થ છે કે મિત્રોની સાથે તમારો સંબંધ મજબૂત થશે. દોસ્તોની સાથે તમે ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો.
મોરપંખ અને વાંસળી દેખાવવી
જગતના પાલનહાર શ્રીકૃષ્ણને મોરપંખ અને વાંસળી પ્રિય છે. આ બંને ચીજોનું સપનામાં દેખાવવું શુભ રહે છે. આ સંકેત છે કે તમારા જીવનમાં પ્રેમનું આગમન થશે. ઘરના લોકો વચ્ચે પણ પ્રેમ બની રહેશે. સાથે તમે ધનની પ્રાપ્તિ પણ કરી શકો છો.
શ્રીકૃષ્ણની તૂટેલી મૂર્તિ દેખાવવી
સપનામાં શ્રીકૃષ્ણની તૂટેલી મૂર્તિ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. આ સંકેત છે કે જલ્દી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જૂના સંબંધો તૂટી શકે છે. મિત્રો કે પાર્ટનરની સાથે લડાઈ થઈ શકે છે. એવામાં વાદ-વિવાદ કરવાનું ટાળો.
શ્રીકૃષ્ણની મૂર્તિ તૂટતી દેખાવવી
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને પવિત્ર માનવામાં આવે છે. સપનામાં ભગવાનની તૂટતી મૂર્તિને જોવી અશુભ માનવામાં આવે છે. જો સપનામાં તમને આવું દેખાય છે કે તમારા હાથથી દેવી દેવતાની મૂર્તિ તૂટે છે તો તેને અશુભ માનવામાં આવે છે.
Related Articles
રક્ષાબંધને 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ:19મીએ બપોરે 1:32 સુધી રાખડી બાંધી શકાશે નહીં, બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી શ્રેષ્ઠ મુહૂર્ત
રક્ષાબંધને 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ:19મી...
પૂર્ણ શ્રદ્ધાથી શિવજીને ચડાવો અખંડ બિલ્વપત્ર, શિવપૂજા થશે પૂર્ણ
પૂર્ણ શ્રદ્ધાથી શિવજીને ચડાવો અખંડ બિલ્વ...
Aug 13, 2024
શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ, સવારે 4 વાગે મંદિરના દ્વાર ખોલાયા
શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્...
Aug 12, 2024
70 વર્ષે પહેલીવાર શ્રાવણિયા સોમવારનો અનોખો સંયોગ, સોમવારથી પ્રારંભ અને સોમવારે જ સમાપ્તિ
70 વર્ષે પહેલીવાર શ્રાવણિયા સોમવારનો અનો...
Aug 05, 2024
શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ 3 રાશિઓના લોકો બનશે ધનિક
શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ...
Jul 18, 2024
પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નીજ મંદિર પરત ફરશે
પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભા...
Jul 15, 2024
Trending NEWS
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
Aug 13, 2024