જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
September 06, 2025

રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો
જમ્મુ : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે રોષે ભરાયેલી ભીડે તોડફોડ કરી હતી. આ ભીડનો આક્રોશ દરગાહની અંદર સ્થાપિત શિલાલેખ પર રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ અંકિત હોવાના કારણે હતો. લોકો શિલાલેખ પરથી અશોક સ્તંભને એકેશ્વરવાદ અને ઈસ્લામની ભાવનાની વિરુદ્ધ ગણાવતા તેને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર વક્ફ બોર્ડના અધ્યક્ષ દરખ્શાં આંદ્રાબીએ તોડફોડ કરનારાઓ સામે FIR દાખલ કરી છે અને PSA હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.
વક્ફ બોર્ડના અધ્યક્ષે આ સમગ્ર વિવાદ માટે શાસક નેશનલ કોન્ફરન્સને જવાબદાર ઠેરવી છે. તેમણે એમ પણ કહ્યું કે, જો FIR દાખલ કરીને કાર્યવાહી કરવામાં ન આવે તો હું ભૂખ હડતાળ પર ઉતરી જઈશ. આંદ્રાબીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો છે અને હુમલાખોરો એક રાજકીય પક્ષના ગુંડા છે. આ લોકોએ પહેલા પણ કાશ્મીરને બરબાદ કર્યું હતું અને હવે તેઓ દરગાહ શરીફની અંદર આવી ગયા છે. ડૉ. દરખ્શાં આંદ્રાબીએ આગળ જણાવ્યું કે, ટોળાએ સંચાલક પર પણ હુમલો કર્યો હતો. તેઓ માંડ માંડ બચી ગયા. દરગાહની ગરિમાને ઠેસ પહોંચી છે અને આ કૃત્ય કરનારાઓની ઓળખ થતાં જ તેમને દરગાહમાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે પણ આ સમગ્ર ઘટના પર નિવેદન આપ્યું છે.
Related Articles
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21...
Sep 05, 2025
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ...
Sep 05, 2025
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વો...
Sep 05, 2025
સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર
સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની...
Sep 03, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025