મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના જાતકોને થશે ફાયદો
January 15, 2023
અમદાવાદ : જયારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તેની અસર તમામ 12 રાશિઓને થાય છે. આ વખતે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે. જેનાથી ઘણી રાશિઓને જમીન સુખ, વાહન સુખનો લાભ મળશે. ચાલો જાણીએ કશી રાશિના જાતકોને આનો લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહ મંગળને માનવામાં આવે છે. આ ગ્રહને વીરતા, પરાક્રમ, સાહસ, યુદ્ધ અને ભૂમિ કારક ગ્રહ માનવામાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં મંગળ પહેલા, ચોથા, સાતમાં, આઠમાં કે બારમાં સ્થાનમાં રહેલો હોય તો આ સ્થિતિમાં મંગળદોષ માનવામાં આવે છે. મંગળ ગ્રહની આ સ્થિતિ તે જાતકના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. મંગળ વૃશ રાશિમાં માર્ગી થવાથી આ 4 રાશિ પર તેની સારી અસર જોવા મળશે.
કર્ક:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકો માટે મંગળનું માર્ગી થવું શુભ માનવામાં આવી રહ્યું છે. કર્ક રાશિ માટે મંગળ ગ્રહ દસમાં ઘરનો સ્વામી છે. તેવામાં આં રાશિના જાતકોની આર્થિક સમસ્યા દુર થશે , સારી નોકરીની તક મળશે અને નોકરીમાં તરક્કી મળવાના યોગ છે. જે વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે.
સિંહ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના જાતકોને મંગળનું વૃષભ રાશિમાં પ્રવેશ ફળદાયક રહેશે. સિંહ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા અને પરેશાનીઓ દુર થશે. માતા-પિતા સાથે સંબંધો સુધરશે. રીયલ એસ્ટેટ અને હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા લોકો માટે મંગળનું વક્રી થવું ખુબ લાભદાયક માનવામાં આવે છે.
ધનુ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનુ રાશિના જાતકો માટે મંગળનું માર્ગી થવું શુભ રહેશે. ધનુ રાશિમાં છઠ્ઠા સ્થાનમાં મંગળના માર્ગી થવાથી શત્રુઓ પર વિજય મળશે. કોર્ટ કચેરીના નિર્ણય તમારા પક્ષમાં આવશે. જે વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સમય અનુકુળ રહેશે. વિદેશ યાત્રાના યોગ છે.
કુંભ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકો માટે પણ મંગળનું માર્ગી થવું શુભ ફળ આપનારું રહેશે. મંગળના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને નવી પ્રોપર્ટી કે નવા સાધનના યોગ બને છે. આ રાશિના જાતકો માટે આ સમય ખુબ સારો છે. તમે જે પણ કામ કરવાનું વિચારશો તેમાં સફળતા મળશે.
Related Articles
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રા...
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભ...
Apr 09, 2024
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ...
Apr 09, 2024
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી,...
Mar 24, 2024
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું...
Mar 23, 2024
હોળાષ્ટક દરમિયાન શું કરવું - શું ના કરવું ? શિવની પૂજા કરવાથી તમામ આફત ટળી જશે!
હોળાષ્ટક દરમિયાન શું કરવું - શું ના કરવુ...
Mar 19, 2024
Trending NEWS
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 15, 2024