બારામુલ્લામાં NIAના દરોડા, આતંકી ફંડિંગને લઈને પાંચ રાજ્યોમાં કાર્યવાહી

October 05, 2024

NIAએ આતંકી ફંડિંગને લઈને મોટી કાર્યવાહી કરી છે. NIAએ જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રના પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આતંકી ફંડિંગ સામે કાર્યવાહી કરતા NIAએ લગભગ 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ NIAએ 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાંથી 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 1 વ્યક્તિની છત્રપતિ સંભાજી નગરમાંથી અને 1 વ્યક્તિની માલેગાંવમાંથી અટકાયત કરવામાં આવી હતી. આ ચારેય શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવે છે.

NIAએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આતંકવાદી ઘટનાઓની તપાસ માટે આ દરોડો પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્ર તેમજ રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને આસામમાં NIAના દરોડા ચાલુ છે. આ દરોડો જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના ટેરર ​​ફંડિંગને લઈને કરવામાં આવી રહ્યો છે.