લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ
September 07, 2025

મુંબઈ : મુંબઈમાં લાલબાગથી વિસર્જન માટે નીકળેલા ‘લાલબાગચા રાજા’નું 30 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં હજુ વિસર્જન થયુ નથી. ભક્તો ચિંતામય બન્યા છે. લાલબાગચા રાજાની મૂર્તિ સવારના 8 વાગ્યાથી ગિરગાંવ ચોપાટીમાં છે. વિસર્જન કરવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં મૂર્તિનું વિસર્જન થઈ રહ્યુ નથી. શરૂઆતમાં લાલબાગચા રાજાની મૂર્તિ ઉઠાવીને એક બેડા પર મૂકવાનો પ્રયાસ થયો હતો. પરંતુ દરિયામાં અચાનક જળ સ્તર વધી જતાં હાઈએલર્ટ આપવામાં આવ્યુ હતું. જેથી મૂર્તિનું વિસર્જન થઈ રહ્યુ નથી.
આજે સવારે 8 વાગ્યે હવામાન વિભાગે હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું હતું. દરિયામાં હાઈટાઈડનું એલર્ટ એટલે કે દરિયામાં સામાન્ય ભરતી (tide) કરતા વધુ ઊંચી ભરતી આવવાની સંભાવના છે. આ એલર્ટ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારો માટે ચેતવણીરૂપ હોય છે. થોડી જ વારમાં ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે. જેથી દરિયામાં ભયાવહ ભરતી આવવાનું હાઈટાઈડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભક્તો ચંદ્રગ્રહણ પહેલાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા માગે છે. પરંતુ સફળતા મળી રહી નથી. ઘણા ભક્તોની આંખોમાં આંસુનો ધોધ વહી રહ્યો છે.
લાલબાગચા રાજા આજે સવારે આશરે 8 વાગ્યે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતાં. ગિરગાંવ ચોપાટી પર અંતિમ આરતી કર્યા બાદ મૂર્તિ વિસર્જનની તૈયારીઓ થઈ રહી હતી. વિસર્જન માટે લાલબાગચા રાજા ગણપતિ મંડળના કાર્યકરોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. ભગવાનની મૂર્તિને રાફ્ટમાં સ્થાપિત કરવા લગભગ બેથી અઢી કલાક સુધી પ્રયાસ કર્યો, પણ રાફ્ટની ઊંચાઈ વધુ હોવાથી મૂર્તિ રાફ્ટ પર સ્થાપિત થઈ શકી નહીં
Related Articles
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ...
Sep 07, 2025
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ...
Sep 07, 2025
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તો...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21...
Sep 05, 2025
Trending NEWS

06 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025