યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલાહ લો
August 26, 2025

દેશભરના યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા તમામ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તૈયાર કરેલા દિશાનિર્દેશોનો રેકોર્ડ કોર્ટમાં રજૂ કરે. આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ દિશાનિર્દેશો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBSA) સાથે વિચાર-વિમર્શ કરીને જ તૈયાર કરવામાં આવે. હવે આ મામલાની આગામી અને મહત્ત્વપૂર્ણ સુનાવણી નવેમ્બરમાં થશે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતાના દુરુપયોગ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે ઈન્ફ્લુએન્સર્સ આ સ્વતંત્રતાનું વ્યાપારીકરણ કરી રહ્યા છે, જેનાથી દિવ્યાંગ, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને લઘુમતીઓની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કેન્દ્રને આ અંગે નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોડકાસ્ટ જેવા ઓનલાઈન શો સહિત સોશિયલ મીડિયા પરના આચરણને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય પ્રસારણકર્તાઓ અને ડિજિટલ એસોસિએશન્સ સાથે મળીને દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવે. એડવોકેટ નિશા ભમ્ભાણીએ આ કેસમાં ડિજિટલ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યું. કોર્ટે કહ્યું કે આ દિશાનિર્દેશોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાજના વિવિધ વર્ગોના સન્માનપૂર્ણ જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો હોવો જોઈએ. આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે કોર્ટ કોમેડિયન સમય રૈના વિરુદ્ધ દિવ્યાંગ વ્યક્તિઓ વિશે સંવેદનહીન મજાક કરવાના કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે આને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ગણાવ્યો. જસ્ટિસ બાગચીએ કહ્યું, 'હસવું એ જીવનનો એક અભિન્ન ભાગ છે, પરંતુ હળવાશમાં સંવેદનશીલતાનું હનન ન થવું જોઈએ. આપણે વિવિધ સમુદાયોનો દેશ છીએ.' તેમજ આ અંગે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'દિવ્યાંગો પર મજાક કરવાથી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો બંધારણીય ઉદ્દેશ્ય જ સમાપ્ત થઈ જાય છે.'
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોડકાસ્ટ જેવા ઓનલાઈન શો સહિત સોશિયલ મીડિયા પરના આચરણને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય પ્રસારણકર્તાઓ અને ડિજિટલ એસોસિએશન્સ સાથે મળીને દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવે. એડવોકેટ નિશા ભમ્ભાણીએ આ કેસમાં ડિજિટલ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યું. કોર્ટે કહ્યું કે આ દિશાનિર્દેશોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાજના વિવિધ વર્ગોના સન્માનપૂર્ણ જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો હોવો જોઈએ. આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે કોર્ટ કોમેડિયન સમય રૈના વિરુદ્ધ દિવ્યાંગ વ્યક્તિઓ વિશે સંવેદનહીન મજાક કરવાના કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે આને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ગણાવ્યો. જસ્ટિસ બાગચીએ કહ્યું, 'હસવું એ જીવનનો એક અભિન્ન ભાગ છે, પરંતુ હળવાશમાં સંવેદનશીલતાનું હનન ન થવું જોઈએ. આપણે વિવિધ સમુદાયોનો દેશ છીએ.' તેમજ આ અંગે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'દિવ્યાંગો પર મજાક કરવાથી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો બંધારણીય ઉદ્દેશ્ય જ સમાપ્ત થઈ જાય છે.'
Related Articles
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારત...
Aug 27, 2025
શાળા પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત
શાળા પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 400 વિદ...
Aug 27, 2025
ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચીતમાં ઉર્જાથી લઈને સંરક્ષણ સંબંધિત થઈ ચર્ચા
ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ...
Aug 27, 2025
ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓપન કરતા જ ખાતામાંથી ઉપડી ગયા પૈસા
ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિ...
Aug 27, 2025
મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો કહેર
મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથ...
Aug 27, 2025
Trending NEWS

કાજીકી વાવાઝોડાએ વિયેતનામના ઉત્તર અને મધ્ય ભાગોમાં...
27 August, 2025

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અન...
27 August, 2025

ભારત-પાકિસ્તાન યુદ્ધ નહી રોકે તો તેઓ પર એટલો ટેરિફ...
27 August, 2025

ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચ...
27 August, 2025

ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓ...
27 August, 2025

વેપાર સમજૂતી પર જલ્દી જ સમાધાન નીકળશે, ટ્રમ્પના ટે...
27 August, 2025

મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો...
27 August, 2025

બોલિવુડ સિંગર રાહુલ ફાઝલપુરિયાની હત્યાની કોશિશ નાક...
27 August, 2025

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ
27 August, 2025

વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી, 31...
27 August, 2025