સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી
August 26, 2025

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટ સુનાવણી પૂર્ણ થયા બાદ પણ ચુકાદો આપવામાં વધુ સમય લેતી હોવાનો આક્ષેપ કરતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને ફિટકાર લગાવી હતી કે, આ પરિસ્થિતિ 'ન્યાયિક પ્રક્રિયામાં અરજદારોનો વિશ્વાસ' ખતમ કરે છે. જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પુનરોચ્ચાર કર્યો હતો કે, જો ચુકાદો અનામત રાખ્યાના ત્રણ મહિનાની અંદર આપવામાં ન આવે, તો રજિસ્ટ્રાર જનરલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ કેસ રજૂ કરવો જોઈએ, જે સંબંધિત બેન્ચને બે અઠવાડિયામાં પોતાનો નિર્ણય સંભળાવવાનું કહેશે. તેમ છતાં પણ આદેશ પસાર ન થાય, તો ચીફ જસ્ટિસ આ મામલો બીજી બેન્ચને સોંપશે. વધુમાં ઉમેર્યું હતું કે, પ્રત્યેક હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે નિશ્ચિત સમયગાળામાં ચુકાદો આપવામાં ન આવેલા કેસોની યાદી ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવી પડશે. તેમજ દર ત્રણ મહિને આ કામગીરી હાથ ધરવી પડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અમે વારંવાર આ પ્રકારના કેસોનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટમાં કેટલાક કેસોની તમામ સુનાવણી પૂરી થયાને ત્રણ મહિનાથી વધુ સમય થયો હોય અને કેટલાક કિસ્સાઓમાં છ મહિનાથી વધુ અથવા તો વર્ષોથી પણ વધુ સમય થયો હોય તો પણ ચુકાદા માટે કેસ પેન્ડિંગ રાખવામાં આવે છે. મોટાભાગની હાઇકોર્ટમાં એવી કોઈ વ્યવસ્થાનો અભાવ છે કે, ચુકાદો આપવામાં થઈ રહેલા વિલંબની ચિંતા સંબંધિત બેન્ચ કે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરી શકે, જેના કારણે ન્યાયિક પ્રક્રિયામાંથી અરજદારોનો વિશ્વાસ ઉઠી જાય છે અને ન્યાયના ઉદ્દેશ્યો પર અસર પડે છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં 2008થી પેન્ડિંગ ફોજદારી અપીલ સંબંધિત સ્પેશિયલ લીવ પિટિશન(SLP)નો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે તેને 'અત્યંત આઘાતજનક અને આશ્ચર્યજનક' ગણાવ્યું કે અપીલની સુનાવણીની તારીખથી લગભગ એક વર્ષ સુધી ચુકાદો આપવામાં આવ્યો ન હતો. અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના અહેવાલ દ્વારા આ વિલંબની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં નોંધવામાં આવ્યું હતું કે વિવિધ બેન્ચ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ફોજદારી અપીલ પર કોઈ ચુકાદો આવ્યો નથી.
Related Articles
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારત...
Aug 27, 2025
શાળા પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત
શાળા પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 400 વિદ...
Aug 27, 2025
ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચીતમાં ઉર્જાથી લઈને સંરક્ષણ સંબંધિત થઈ ચર્ચા
ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ...
Aug 27, 2025
ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓપન કરતા જ ખાતામાંથી ઉપડી ગયા પૈસા
ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિ...
Aug 27, 2025
મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો કહેર
મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથ...
Aug 27, 2025
Trending NEWS

કાજીકી વાવાઝોડાએ વિયેતનામના ઉત્તર અને મધ્ય ભાગોમાં...
27 August, 2025

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અન...
27 August, 2025

ભારત-પાકિસ્તાન યુદ્ધ નહી રોકે તો તેઓ પર એટલો ટેરિફ...
27 August, 2025

ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચ...
27 August, 2025

ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારી ફોનમાં ડિજિટલ કાર્ડ ઓ...
27 August, 2025

વેપાર સમજૂતી પર જલ્દી જ સમાધાન નીકળશે, ટ્રમ્પના ટે...
27 August, 2025

મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો...
27 August, 2025

બોલિવુડ સિંગર રાહુલ ફાઝલપુરિયાની હત્યાની કોશિશ નાક...
27 August, 2025

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ
27 August, 2025

વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી, 31...
27 August, 2025