કેનેડામાં પંજાબના 3 વિદ્યાર્થીઓના મોત:ટાયર ફાટતા કાર પલટી જતા અકસ્માતમાં મોતને ભેટ્યા, પરિવારે ત્રણેયના મૃતદેહને વતન લાવવા માટે સરકાર પાસે મદદ માંગી

July 30, 2024

ટોરોન્ટો :  કેનેડામાં કાર અકસ્માતમાં પંજાબના 3 વિદ્યાર્થીઓના મોતનો મામલો સામે આવ્યો છે. ચાલુ કારનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં સમાનાના
રહેવાસી રસમદીપ કૌર, અમલોહ પાસેના બુરકાડા ગામના રહેવાસી નવજોત સોમલ અને હરમન સામેલ છે.

તેઓ સગા ભાઈ- બહેન હતા. મૃતકોના સંબંધીઓનું કહેવું છે કે પંજાબ સરકારે વિદ્યાર્થીઓના મૃતદેહને પંજાબ લાવવા માટેની મદદ કરવી જોઈએ. આ ત્રણેય વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવા
ગયા હતા.

જાણવા મળ્યું છે કે આ અકસ્માત કેનેડાના મિલ કોવ શહેર પાસે થયો હતો. ત્રણેય ન્યુ બ્રુન્સવિક પ્રાંતના મોન્કટન શહેરથી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારનું ટાયર ફાટ્યું હતું. જે
બાદ કાર પલટી ગઈ હતી. જો કે ત્રણેય કારમાંથી બહાર નીચે પડી ગયા હતા.

જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી ત્યાંની પોલીસ ત્રણેયને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પરિવારજનોને જાણ થઈ
હતી. ગામમાં પરિવારજનો ખૂબ જ દુઃખી છે.

કેનેડામાં પણ રોડ અકસ્માતમાં પંજાબના વિદ્યાર્થીઓના મોતના મામલા વધી ગયા છે. 22 જુલાઈએ ગુરદાસપુરના બટાલામાં રહેતી 21 વર્ષીય લખવિંદર કૌરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
થયું હતું. આ અકસ્માત બમ્પટન પાસે થયો હતો. તે દસ મહિના પહેલા જ સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. તેની સાથે અન્ય બે છોકરીઓનું પણ મોત થયું હતું.

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ગુરુવારે મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે એક કાર અન્ય વાહન સાથે અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બર્થડે પાર્ટી મનાવી પરત ફરી
રહેલા બર્થડે બોય સહિત 3 ભારતીયોના કરુણ મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય યુવકોમાં બે સગા ભાઈ અને મિત્રનો સમાવેશ થાય છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ માર્ગ અકસ્માતમાં અન્ય કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાહનને પણ કબજે લેવામાં આવ્યું છે અને
આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહનની ઝડપને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.