Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓને કર્યું આહ્વાન

December 03, 2024

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હાર બાદ હવે શિવસેના (યુબીટી) ફરી હિન્દુત્વના રસ્તે જઈ રહ્યા છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'બીએમસી ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને જનતાની વચ્ચે લઈ જાવ. શિવસેના હિન્દુત્વ માટે શરૂઆતથી જ લડતી રહી છે, આજે પણ લડી રહી છે અને લડતી રહેશે. વિરોધી પાર્ટીઓ એવો દુષ્પ્રચાર કરી રહી છે કે, અમે હિન્દુત્વનો મુદ્દો મૂકી દીધો છે. હિન્દુત્વના મુદ્દા પર વિરોધીઓને વળતો જવાબ આપો.'


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન અન્ય રાજ્યોથી ભાજપ નેતા/કાર્યકર્તા મહારાષ્ટ્રમાં આવે છે અને અહીં કામ કરે છે. આપણે પણ જમીની સ્તર પર જઈને કામ કરવું જોઈએ. બીએમસી પર ભગવો લહેરાવાનો છે, અત્યારથી કામે લાગી જાવ. ઈવીએમનો મુદ્દો છે પરંતુ, તેને આપણે જોઈ લઈશું. તમે સંગઠનને મજબૂત કરવા માટે કામ શરૂ કરો. ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે, તેથી ગેરજવાબદારી ન રાખશો, લોકો પાસે જાવ અને નવી ઉર્જા સાથે કામ કરો.