સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહી શકે : એસ.જયશંકર
December 03, 2024
દિલ્હી: ભારત અને ચીન વચ્ચે વર્તમાન સમયમાં સંબંધો કેવા છે, બંને દેશોની સરહદ પર સ્થિતિ છું ? તે અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં તમામ જવાબ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, બંને દેશો તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં સેના પાછી ખેંચવાની કામગીરી પુરી થઈ ગઈ છે. બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાત કરી રહી છે. અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત થયા છીએ. ચીને મે-જૂન 2020માં સરહદ પર અનેક સૈનિકો તહેનાત કર્યા હતા, જેના કારણે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. ગલવાન ખીણમાં અથડામણ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પછી ભારતે પણ વળતો જવાબ આપી LCA પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યા હતા.
તેમણે લોકસભામાં કહ્યું કે, એલએસી પર ડિસએન્ગેજમેન્ટની કામગીરી પુરી થઈ ગઈ છે. લદ્દાખ અને ડેમચોકમાં પણ કામગીરી પુરી કરી દેવાઈ છે. હવે અમે તણાવ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આપણા સૈનિકોની મદદ કરવા માટે તત્પર છે. આપણા સંબંધો ચીન સાથે સુધરી રહ્યા છે, જોકે ઘર્ષણ પહેલા જે સંબંધો હતા, તેવા સંબંધો હાલ સંપૂર્ણ સુધર્યા નથી. આગામી સમયમાં અમે ચીન સાથે ચર્ચા કરીશું કે, હવે વિવાદ ન થવો જોઈએ.
તેમણે ભાષણમાં કહ્યું કે, વર્ષ 1991માં બંને દેશો એલએસપી પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા. 1993માં એલએસી પર શાંતિને બહાલી આપવા માટે સહમતી યથાવત્ રાખી હતી. બંને દેશો સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે જ્યારે પણ બેઠક કરવામાં આવી છે, ત્યારે તે સમજૂતીને યાદ કરવામાં આવી છે. ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, તાજેતરના અનુભવો થયા બાદ અમે સરહદ પર વધુ કડક કાર્યવાહી કરી છે. બંને પક્ષો સરહદ પર કડકાઈથી સુરક્ષાનું પાલન કરી રહ્યા છે. સરહદ પર અગાઉ જેવી ઘટનાઓ બનતી હતી, તેવી ઘટનાઓ હવેના સમયમાં ન બની, તે માટે સમજુતીનું પાલન કરવું જરૂરી છે. સરકારે કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી ભારત-ચીન વચ્ચેના સંબંધો હજુ સામાન્ય ન થઈ શકે. અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે, શાંતિ અને સમજુતી વગર જ સંબંધો સારા બમવાની ગેરેંટી છે. ચીનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ પણ ચીનના સમકક્ષો સાથે વાત કરી છે
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026