Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહી શકે : એસ.જયશંકર

December 03, 2024

દિલ્હી: ભારત અને ચીન વચ્ચે વર્તમાન સમયમાં સંબંધો કેવા છે, બંને દેશોની સરહદ પર સ્થિતિ છું ? તે અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે  લોકસભામાં તમામ જવાબ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, બંને દેશો તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં સેના પાછી ખેંચવાની કામગીરી પુરી થઈ ગઈ છે. બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાત કરી રહી છે. અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત થયા છીએ. ચીને મે-જૂન 2020માં સરહદ પર અનેક સૈનિકો તહેનાત કર્યા હતા, જેના કારણે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. ગલવાન ખીણમાં અથડામણ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પછી ભારતે પણ વળતો જવાબ આપી LCA પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યા હતા.

તેમણે લોકસભામાં કહ્યું કે, એલએસી પર ડિસએન્ગેજમેન્ટની કામગીરી પુરી થઈ ગઈ છે. લદ્દાખ અને ડેમચોકમાં પણ કામગીરી પુરી કરી દેવાઈ છે. હવે અમે તણાવ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આપણા સૈનિકોની મદદ કરવા માટે તત્પર છે. આપણા સંબંધો ચીન સાથે સુધરી રહ્યા છે, જોકે ઘર્ષણ પહેલા જે સંબંધો હતા, તેવા સંબંધો હાલ સંપૂર્ણ સુધર્યા નથી. આગામી સમયમાં અમે ચીન સાથે ચર્ચા કરીશું કે, હવે વિવાદ ન થવો જોઈએ.


તેમણે ભાષણમાં કહ્યું કે, વર્ષ 1991માં બંને દેશો એલએસપી પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા. 1993માં એલએસી પર શાંતિને બહાલી આપવા માટે સહમતી યથાવત્ રાખી હતી. બંને દેશો સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે જ્યારે પણ બેઠક કરવામાં આવી છે, ત્યારે તે સમજૂતીને યાદ કરવામાં આવી છે. ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, તાજેતરના અનુભવો થયા બાદ અમે સરહદ પર વધુ કડક કાર્યવાહી કરી છે. બંને પક્ષો સરહદ પર કડકાઈથી સુરક્ષાનું પાલન કરી રહ્યા છે. સરહદ પર અગાઉ જેવી ઘટનાઓ બનતી હતી, તેવી ઘટનાઓ હવેના સમયમાં ન બની, તે માટે સમજુતીનું પાલન કરવું જરૂરી છે. સરકારે કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી ભારત-ચીન વચ્ચેના સંબંધો હજુ સામાન્ય ન થઈ શકે. અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે, શાંતિ અને સમજુતી વગર જ સંબંધો સારા બમવાની ગેરેંટી છે. ચીનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ પણ ચીનના સમકક્ષો સાથે વાત કરી છે