ટીકા કરનારાઓને વિરાટએ આપ્યો સણસણતો જવાબ

February 24, 2025

કેપ્ટન રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો અને અંતે ટીમને જીત અપાવીને જ પરત ફર્યો. જીત બાદ તેણે કહ્યું, 'મારું કામ સ્પષ્ટ હતું, મારે મિડલ ઓર્ડરમાં વસ્તુઓ પર નિયંત્રણ રાખવાનું હતું. સ્પિનરો સામે જોખમ લેવાનું ન હતું અને ઝડપી બોલરો સામે રન બનાવવાના હતા. હું જે રીતે રમું છું અને વનડેમાં આ રીતે રમું છું તેનાથી હું ખુશ છું.

વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર અને શુભમન ગિલના વખાણ કર્યા અને કહ્યું કે બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. આ સ્થિતિમાં ટીમના તમામ બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. હું ફિલ્ડિંગમાં મારું સંપૂર્ણ 100 ટકા આપવા માંગુ છું. જ્યારે તમે તમારું માથું નીચે રાખો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે વસ્તુઓ સારી રીતે થઈ જાય છે.'

આ મેચ પહેલા વિરાટ કોહલી તેના પ્રદર્શનને લઈને સવાલોથી ઘેરાઈ ગયો હતો. સદી ફટકારવાની સાથે જ કોહલીએ મેચને સંપૂર્ણ રીતે પૂરી કરી દીધી અને અંત સુધી અણનમ રહ્યો. તેની શાનદાર બેટિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. વિરાટની ફોર્મમાં વાપસી જોઈને દરેક પ્રશંસક ખુશ દેખાય છે.