Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

'અમે ઉદ્ધવ જેવા નથી, મુખ્યમંત્રી તરીકે ફડણવીસને અમારું સમર્થન', શિંદે જૂથના સાંસદનું મોટું નિવેદન

November 27, 2024

મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પરિણામો જાહેર થયા બાદ પણ મુખ્યમંત્રીનો ચહેરો હજુ સ્પષ્ટ નથી થયો. આગામી મુખ્યમંત્રીને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (શિંદે) વચ્ચે ટક્કર ચાલી રહી છે. મીડિયા અહેવાલ મુજબ શિંદે જૂથના નેતાએ મોટું નિવેદનઆપતા કહ્યું છે કે,  'અમે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા તૈયાર છીએ.' તેમજ શિંદે જૂથના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, 'અમારા જૂથની વિચારધારા ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ કરતાં અલગ છે.'

શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું છે કે, 'જો મહાગઠબંધન દ્વારા આવો નિર્ણય લેવામાં આવશે તો શિંદે જૂથ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે. અમે ઉદ્ધવ ઠાકરે નથી કે અમને મુખ્યમંત્રી પદ આપવામાં ન આવે તો છોડી દઈએ, અમે મહાયુતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સ્વીકારીશું અને દેવેન્દ્ર ફડણવીસને અમારા નેતા તરીકે પણ સ્વીકારીશું. આ બાબતે અમે એકનાથ શિંદેથી પણ  નારાજ નથી.'

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથ અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને સમજૂતી થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે શિંદે જૂથના નેતાએ એમ પણ કહ્યું કે, 'જો રાજ્યના લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તો અમે કોઈપણ પરિસ્થિતિમાં સત્તાની વહેંચણી અંગે સુગમતા બતાવવા માટે તૈયાર છીએ.'