અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, જય-અંબેના નાદથી ગુંજી-ઉઠયું મંદિર
March 31, 2025

ગઈકાલથી ચૈત્ર નવરાત્રીનો શુભ-આરંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે, હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રિનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો છે. સવારે મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભકતો જોડાયા હતા.
ગઈકાલે અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપના કરાયું હતું. જે ૫૧ શક્તિપીઠોમાંનું એક અને આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, આ તકે પરિસરમાં "બોલ મારી અંબે, જય જય અંબે"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.
નવરાત્રિ પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજી ખાતે ભટ્ટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ થકી ઘટ્ટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે. બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે માં અંબાના દર્શેને પધાર્યા હતા. વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાઈ છે તેમ તેમણે જણાવ્યું હતું.
Related Articles
ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટની આગાહી
ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી,...
Apr 02, 2025
રાજકોટની ફાઇનાન્સ કંપનીમાં 4 કરોડનું લોન કૌભાંડ, 28 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ
રાજકોટની ફાઇનાન્સ કંપનીમાં 4 કરોડનું લોન...
Apr 01, 2025
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે...
Apr 01, 2025
પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ
પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બ...
Mar 31, 2025
સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20 લાખ પડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20...
Mar 31, 2025
ગોંડલ ચોકડી પર બ્રિજનો જોઈન્ટ છુટો પડી ગયો, વાહન ચાલકો માટે બ્રિજ બન્યો જોખમી
ગોંડલ ચોકડી પર બ્રિજનો જોઈન્ટ છુટો પડી ગ...
Mar 30, 2025
Trending NEWS

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025