લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી: 3ના મોત, અનેક લોકો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
January 24, 2023

લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના કારણે આ ઈમારત ધરાશાયી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વજીર હસન રોડ પર બની હતી અને ઈમારત જૂની હોવાનું કહેવાય છે.
બીજી તરફ આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આ સાથે સીએમ યોગીએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. તો બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને સ્થળ પર જઈને રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઘણી હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
Related Articles
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો ઉપર દિવાલ ધરાશાયી થતા 4ના મોત, 14 ઇજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમ...
Dec 08, 2023
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક...
Dec 08, 2023
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ : પૈસા લઈને સદનમાં સવાલ પૂછવાના કેસમાં કાર્યવાહી
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ...
Dec 08, 2023
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો', ભડક્યા પૂર્વ ડાકૂ મલખાન સિંહ
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી...
Dec 08, 2023
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદીની ચિંતા
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદ...
Dec 06, 2023
Trending NEWS

06 December, 2023

06 December, 2023

06 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023