કેનેડાના 41 રાજદૂતો ભારતના 'આંતરિક મુદ્દામાં કરતા હતા દખલગીરી- વિદેશ મંત્રાલય
October 20, 2023

ગંભીર આક્ષેપો બાદ વિદેશ મંત્રાલયે પણ આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હી : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવી પોતાના 41 રાજદ્વારીઓને ભારતમાંથી પરત બોલાવી લીધા હોવાનું જણાવ્યું છે, તો ભારતે પણ કેનેડાના આરોપોનો સણસણતો જવાબ આપી ‘ભારતમાંથી જનારા 41 કેનેડીયન રાજદ્વારી’ અંગે મહત્વની પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ નિવેદનમાં જણાવ્યું કે, કેનેડા સરકારે 19મી ઓક્ટોબર ગુરુવારે રાજદ્વારીઓ અંગે નિવેદન આપ્યું હતું, જે અમારા ધ્યાને આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કેનેડાના રાજદ્વારીઓ વધુ છે, તેઓ આપણા આંતરિક મુદ્દામાં સતત દખલગીરી કરે છે. બાગચીના જણાવ્યા મુજબ નવી દિલ્હી અને ઓટાવામાં એકબીજાના રાજદ્વારીઓની હાજરી સમાન હોવાની ગેરંટી છે. આ મામલે અમે ગયા મહિનાથી કેનેડાની સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આ સમાનતાને લાગુ કરવાનો અમારો નિર્ણય યોગ્ય છે. અમે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ આ નિર્ણય લીધો છે, તેથી અમે આ મામલાને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસનો અસ્વિકાર કરીએ છીએ.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025