પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પૂર, પાકિસ્તાને સિંધુ જળ કરારના રોદણાં રોયા
August 29, 2025
લાહોર- રાવી, સતલુજ અને બ્યાસ નદીના જળસ્તરમાં અણધાર્યા વધારાને કારણે પંજાબમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. સેંકડો ગામડાઓમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે, દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે. હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. એટલું જ નહીં, રાવી નદીના વધેલા પાણીના સ્તરને કારણે સરહદ પાર, એટલે કે પાકિસ્તાનમાં પણ પૂર આવ્યું છે. આ પાણી પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પ્રવેશ્યું છે. પાણીના કારણે રોષે ભરાયેલા પાકિસ્તાને પૂર માટે ભારતને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે.
પાકિસ્તાનનું કહેવું છે કે, રાવી નદી પર ભારતમાં બનેલા માધોપુર હેડવર્ક્સમાં ટેક્નિકલ સમસ્યાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, આ જ કારણે તેજીથી પાણીનું વહેણ આ તરફ આવી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતે આની સૂચના પણ નહતી આપી અને અમને તૈયારીની તક પણ ન મળી. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે કે, ભારતે એકવાર ફરી જાણકારી ન આપી કે, આવી કોઈ સ્થિતિ પેદા થઈ શકે છે. સિંધુ જળ કરાર રોકવાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે, નહીંતર આવું નહતું થાતું.
જોકે, રવિવાર બાદથી હવે ત્રણવાર ભારત તરફથી સૂચના મળી હોવાનું પાકિસ્તાને સ્વીકાર્યું છે. પહેલી સૂચના એ મળી હતી કે, તવી નદીમાં જળસ્તર વધવાનું છે. ફરી બે વાર સતલુજ નદીના જળસ્તરમાં વધારા વિશે જણાવવામાં આવ્યું હતું. પરંતુ, રાવી વિશે કોઈ જાણકારી મળી નથી. હાલ, પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાનનું સિંધુ જળ આયોગ આ અંગે ભારત સાથે વાત પણ કરી શકતું નથી જેથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
પાકિસ્તાની મીડિયા અહેવાલ અનુસાર, માધોપુર હેડવર્ક્સના ઓછામાં ઓછા 4 દરવાજાને નુકસાન થયું છે. જેના કારણે, મોટી માત્રામાં ખેતીની જમીનને નુકસાન થયું છે. ગામડાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પાકિસ્તાનનો આરોપ છે કે કુલ 54 ફ્લડગેટ છે, જેમાંથી એક પણ છેલ્લા ઘણા વર્ષોથી અપગ્રેડ કરવામાં આવ્યો નથી
Related Articles
દિલ્હી ફરી કલંકિત, 16 વર્ષની સગીરા પર 47 કિ.મી. સુધી સ્લીપર બસમાં દુષ્કર્મ
દિલ્હી ફરી કલંકિત, 16 વર્ષની સગીરા પર 47...
Aug 31, 2026
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
30 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026