Breaking News :
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી

રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરશે, ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

June 11, 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની વન-ડે સીરિઝ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સાબિત થવાની છે. ધર્મશાલામાં રમાનારી સીરિઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્મા મેદાન પર પગ મૂકતાની સાથે જ એક અનોખો ઇતિહાસ રચી દેશે. તે ભારત માટે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ઇતિહાસનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી બની જશે. આ સાથે જ તે એક મોટો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

રોહિત શર્મા જ્યારે ધર્મશાલાના મેદાન પર અફઘાનિસ્તાન સામે મેચ રમવા ઉતરશે, ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસની હશે. આ સાથે જ તે મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા મોહિન્દર અમરનાથે વર્ષ 1989માં ભારત માટે પોતાની છેલ્લી વન-ડે મેચ રમી હતી, તે સમયે તેમની ઉંમર 39 વર્ષ અને 36 દિવસની હતી. હવે રોહિત શર્મા આ મામલે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વયોવૃદ્ધ ખેલાડી બની જશે.

રોહિત શર્મા તાજેતરમાં જ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ભારતીય ટીમ સાથે જોડાયા છે અને રમવા માટે સંપૂર્ણ સજ્જ છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની વાપસી આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થવાની સંભાવના છે.

T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માની નજર હવે આગામી વર્ષે એટલે કે 2027માં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપ પર ટકેલી છે. રોહિત શર્માની અંતિમ ઈચ્છા ભારતને 2027નો વર્લ્ડ કપ જીતાડીને વન-ડે ક્રિકેટમાંથી ગૌરવભરી વિદાય લેવાની છે. આ મેગા ઇવેન્ટ સુધી પોતાને ફિટ અને ફોર્મમાં રાખવા માટે રોહિત સખત મહેનત કરી રહ્યો છે. જોકે, IPL 2026 તેના માટે ખાસ સફળ રહ્યું નહોતું, પરંતુ વન-ડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વધતી ઉંમરને જોતા આગામી સમયમાં કોઈ પણ ગંભીર ઈજા કે ખરાબ ફોર્મ તેને ટીમની બહાર કરી શકે છે, જેથી તેણે ખૂબ જ સાવધ રહેવું પડશે.