કુર્લામાં કાળબની બસ ફરીવળી, 6નાં મોત, 30 લોકો ઇજાગ્રસ્ત
December 10, 2024
સોમવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો હતો. બેસ્ટની બસ નંબર 332 કાબૂ બહાર ગઈ અને એક સોસાયટીની દિવાલ તોડીને અટકી ગઈ, જેમાં અનેક વાહનો અને 30 જેટલા લોકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં 3 પુરૂષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. નિયંત્રણ બહારની બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.
સવાલ એ છે કે આટલા મોટા અકસ્માત પાછળનું કારણ શું છે? ડ્રાઈવર નશામાં હોવાને કારણે આ અકસ્માત થયો કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ? આ અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સમયે હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવર નશામાં હતો. દરમિયાન DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. મામલાની તપાસ ચાલુ છે.
આ ઘટના સોમવારે રાત્રે 9.50 કલાકે બની હતી. આ અકસ્માત મુંબઈના પશ્ચિમ કુર્લા વિસ્તારમાં એલ વોર્ડની સામે આવેલી અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એસજી બર્વે રોડ પર થયો હતો. સ્પીડમાં આવતી બસ અનિયંત્રિત હાલતમાં ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસે 100 મીટરના અંતરે અલગ-અલગ 30-40 વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર અને વાહનોમાં બેઠેલા કેટલાક લોકોને ઈજા થઈ હતી. ચારેબાજુ ચીસો સંભળાઇ રહી હતી.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026