TV અભિનેતા અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં મોત
January 18, 2025
ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત થયું છે. શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. તે માત્ર 23 વર્ષનો હતો. તે ટીવી શો 'ધરતીપુત્ર નંદિની'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો.ટીવી સીરિયલ 'ધરતીપુત્ર નંદિની' ફેમ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.
શૂટિંગ પૂરું કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી. તે હાઈવે પર પડ્યો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની લગભગ 25-30 મિનિટમાં જ તેનું મોત થયું હતું.
અમન જયસ્વાલ યુપીના બલિયાના રહેવાસી હતા. તે અભિનેતા બનવાના સપના સાથે મુંબઈ આવ્યો હતો. પોતાની મહેનતથી તેણે આ સપનું સાકાર કર્યું. જોકે, આ માર્ગ અકસ્માતે નાની ઉંમરમાં જ તેમનો જીવ લીધો હતો. અમન માત્ર 23 વર્ષનો હતો. 'ધરતીપુત્ર નંદિની' શો નઝારા ટીવી ચેનલ પર વર્ષ 2023માં શરૂ થયો હતો. આ શોમાં અમન પહેલીવાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ટીવી શો 'ઉદારિયાં' અને 'પુણ્યશ્લોક અહલ્યાબાઈ'માં નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
Related Articles
બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત: સંન્યાસના એલાન પાછળનું કારણ ખુદ સિંગરે જણાવ્યું
બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત: સંન્યાસના...
Jan 28, 2026
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ડૉન 3 કરવા તૈયાર થયો પણ મૂકી એક શરત
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ડૉન 3...
Jan 17, 2026
રાત્રે ઊંઘવા ગયો પછી ઉઠ્યો જ નહીં... સિંગર પ્રશાંત તમાંગની પત્નીનું ભાવુક નિવેદન
રાત્રે ઊંઘવા ગયો પછી ઉઠ્યો જ નહીં... સિં...
Jan 13, 2026
હોલિવૂડનો સુપરસ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તલપાપડ! શાહરુખ ખાન પાસે કામ માંગ્યું
હોલિવૂડનો સુપરસ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કર...
Jan 13, 2026
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિયાદ
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા...
Jan 13, 2026
સિંગર-એકટર પ્રશાંત તમાંગનું ફક્ત 43 વર્ષની વયે નિધનઃ ચાહકો શોકમાં
સિંગર-એકટર પ્રશાંત તમાંગનું ફક્ત 43 વર્ષ...
Jan 12, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026