'પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો', ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને આપી ફરી ધમકી

October 10, 2023

અમે પંજાબને ભારતનો ભાગ નથી માનતા અને તેને આઝાદ કરાવીને રહીશું : પન્નૂ
ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફૉર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂએ ભારતને ફરી ધમકી આપી છે. ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકાવતા પન્નૂએ કહ્યું કે, તેઓ ભારત પર એ રીતે હુમલો કરીશું, જેવી રીતે હમાસે ઈઝરાયલ પર કર્યો છે. ભારત સરકાર અને મુખ્યમંત્રી માનને ઈઝરાયલમાં હમાસના હુમલાથી શીખવા કહ્યું. ખાલિસ્તાની આતંકીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ ધમકી આપી છે. આ 40 સેકન્ડનો વીડિયો છે, જેમાં પન્નૂ ભારત વિરૂદ્ધ ઝેર ઓંકતો નજરે પડી રહ્યો છે. તેણે કહ્યું કે, અમે પંજાબને ભારતનો ભાગ નથી માનતા અને તેને આઝાદ કરાવીને રહીશું.
પન્નૂએ કહ્યું કે, ઈઝરાયલ પર આજે પેલેસ્ટાઈન હુ