યુપીમાં 2027ની ચૂંટણી 'INDIA' ગઠબંધન સાથે લડીશું', અખિલેશ યાદવની જાહેરાત
April 20, 2025
'યુપી- લોકસભા ચૂંટણી 2024 બાદથી ઈન્ડિયા ગઠબંધન વિખેરાયું નજરે પડ્યું હતું. દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણી 2025માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. જો કે, રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે, 2027ની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. તેમણે ભાર આપતા કહ્યું કે, 2027ની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધનની સાથે લડીશું. અખિલેશ યાદવે આ સ્પષ્ટ કરી દીધું છે કે, 2027 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. PDA (પછાત, દલિત અને અલ્પસંખ્યક) મળીને ભાજપને સત્તાથી ઉખેડી ફેંકશે અને સમાજવાદીની સરકાર બનાવશે, જ્યાં સૌને ન્યાય મળશે.
અખિલેશ યાદવે વક્ફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ વક્ફ કાયદો લાવીને જમીન હડપવાની તૈયાર કરી લીધી છે. જ્યાં પણ જમીન જોવા મળે છે, ભાજપ કબજો કરી લે છે. આ પાર્ટી ભૂમાફિયા બની ગઈ છે. નોટબંધી અને જીએસટીના માધ્યમથી સરકારે લોકોના પૈસા છીનવી લીધા. સાથે જ અનામતના અધિકારો પણ ઘટાડ્યા.
Related Articles
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટ...
May 05, 2026
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી...
May 05, 2026
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
Trending NEWS
05 May, 2026