રાજકોટમાં ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો ભાજપના નેતા પર આક્ષેપ
March 16, 2025

રાજકોટ : રાજકોટ જિલ્લાના ભાજપના મહામંત્રીના નામનો લેટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ થયેલાં લેટરમાં ભાજપના મહામંત્રીના રવિ માકડિયાએ નગર પાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ હતી. જ્યારે સોશિલ મીડિયામાં લેટર કરનારા લોકોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી અને માનસિક ટોર્ચર કર્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈએ કોઈપણ વ્યક્તિને હેરાન-પરેશાન ન કરાયા હોવાનું જણાવ્યું હતું.
રાજકોટમાં થોડા દિવસ પહેલા જિલ્લાના ભાજપના મહામંત્રી રવિ માકડીયાના નામના લેટર વાઈરલ થયો હતો. જેમાં મહામંત્રી વિરૂદ્ધમાં ગંભીર આક્ષેપ કરાયાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે પોલીસમાં અરજી નોંધતા પોલીસે ભાજપના જ આગેવાનોની પૂછપરછ હાથ ધરી હતી. જેને લઈને ઉપલેટા પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે, સમગ્ર ઘટનાને લઈને ઉપલેટાના અશોક લાડાણી નામના વ્યક્તિ સહિત લેટરને સોશિયલ મીડિયામાં વાઈરલ કરનારા લોકોને પોલીસે ઉઠાંતરી કરી હતી અને પોલીસ દ્વારા તેમને ગોંધી રાખીને માનસિક ટોર્ચર કરાયાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે ઉપલેટાના ભાજપના આગેવાન અશોક લાડાણીએ જણાવ્યું હતું કે, 'મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને મને માનસિક ટોર્ચર કર્યો. મને ખુબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટના કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરવામાં આવ્યો. આ મામલે પીઆઈ સાહેબે અમને તપાસ પૂર્ણ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું. આ બાબતે રાજ વાઢેર, કરસનભાઈ ધ્રાંગુ, લકીરાજ સહિતના બધાના નિવેદન લીધા હતા. જો કે, ઘટનાને સાત દિવસથી વધુ થયુ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'
Related Articles
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક...
Jun 30, 2025
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગો...
Jun 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર ત...
Jun 29, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના...
Jun 29, 2025
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપહરણ બાદ બે શખસોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપ...
Jun 28, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025