‘BJP-RSS ઈચ્છે છે કે, ગરીબો સપનાં ન જુએ, અબજપતિઓ હિન્દુસ્તાનને ચલાવશે’, રાહુલ ગાંધીના પ્રહાર
January 27, 2025
કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના મહૂ માં યોજાયેલી ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘જે દિવસે આપણું બંધારણ બદલાઈ જશે, તે દિવસથી દેશમાં દલિતો, પછાત લોકો અને આદિવાસીઓ માટે કંઈપણ નહીં બચે. BJP-RSS દેશમાં આઝાદી પહેલા જેવી સ્થિતિ ઊભી કરવા માંગે છે, જેમાં ગરીબો પાસે અધિકાર હોતા નથી, માત્ર અમીરો પાસે હોય છે. દલિતો, પછાત લોકો, આદિવાસીઓ અને ગરીબોને ફરી એકવાર ગુલામ બનાવવામાં આવી રહ્યા છે.
તેમણે સમર્થકોને સંબોધન કરતા કહ્યું કે, ‘ભારતમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એકતરફ કોંગ્રેસ છે, જે બંધારણને માને છે અને તે માટે લડી રહી છે, જ્યારે બીજીતરફ ભાજપ છે, જેઓ બંધારણના વિરુદ્ધમાં છે, તેઓ તેને નબળું પાડવા તેમજ ખતમ કરાવ માંગે છે. બંધારણ માત્ર એક પુસ્તક નથી. તેમાં ભારતના હજારો વર્ષ જૂના વિચારો છે. તેમાં આંબેડકરજી, મહાત્મા ગાંધીજી, ભગવાન બુદ્ધ, ફુલેજી જેવા મહાપુરુષોનો અવાજ છે.’
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘ભાજપે લોકસભા પહેલા પણ બંધારણ ખતમ કરવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, જો 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખીશું. પરંતુ તેમની વિરુદ્ધ કોંગ્રેસ, INDIA ગઠબંધનના નેતાઓ અને કાર્યકર્તાઓ ઊભા છે. પરિણામ એવું આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લોકસભામાં બંધારણ પાસે માથું ટેકાવવું પડ્યું.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘યાદ રાખજો... જે દિવસે બંધારણ ખતમ થઈ જશે, તે દિવસથી દેશમાં ગરીબો માટે કંઈપણ નહીં બચે. આઝાદી પહેલા ગરીબો, દલિતો, પછાત લોકો, આદિવાસીઓ પાસે કોઈપણ અધિકાર ન હતા. માત્ર રાજા-મહારાજાઓ પાસે અધિકાર હતા. આઝાદી બાદ બંધારણ સ્થપાયા બાદ તમામને અધિકાર મળ્યા છે.’
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026