લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરે છે ભારતના એજન્ટ: ભારત પર કેનેડાના આરોપથી ખળભળાટ
October 15, 2024
બાબા સિદ્દીકી હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. તો બીજી તરફ ભારતે કેનેડા પર કડક વલણ અપનાવીને તેના 6 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ભારત નિજ્જર હત્યા કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું નામ 'પર્સન ઑફ ઈન્ટરેસ્ટ' તરીકે જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
કેનેડિયન પોલીસે ભારતીય અધિકારીઓની પૂછપરછ કરી અને ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કર્યો. ભારતે તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યાના થોડા કલાકો પછી, RCMP એટલે કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના એજન્ટો કેનેડામાં આતંક ફેલાવવા માટે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, RCMP આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌબિને આરોપ લગાવ્યો હતો કે, 'ભારત દક્ષિણ એશિયાઈ સમુદાય, ખાસ કરીને ખાલિસ્તાની તરફી તત્વોને નિશાન બનાવી રહ્યું છે. અમે જોયું છે કે ભારત સરકાર સંગઠિત અપરાધ જૂથોનો ઉપયોગ કરી રહી છે, જેની જવાબદાર એક ગેંગ છે. બિશ્નોઈ ગેંગ ભારતના એજન્ટો સાથે સંકળાયેલી છે.'
આ પહેલા પણ વોશિંગ્ટનના એક અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા, જેમ ગયા વર્ષે એક શીખ અલગતાવાદીની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર આવા ઓપરેશન માટે લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપ છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ શંકાસ્પદ શીખ અલગતાવાદીઓ વિશે ગુપ્ત માહિતી એકત્ર કરે છે, જે પછી RAWને આપવામાં આવે છે. જેથી બિશ્નોઈની આગેવાની હેઠળની ગેંગના માહિતી મળી શકે.
આ આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. કેનેડાએ તાજેતરમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને નકારી કાઢતાં ભારતે કેનેડાના રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. આ પછી ભારતે તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
ભારત અને કેનેડા વચ્ચેના આ વિવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. ભારતે કેનેડાના આરોપોને સદંતર ફગાવી દીધા છે, જ્યારે કેનેડાએ પોતાનું વલણ મજબૂત કર્યું છે અને ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. બંને દેશો વચ્ચેનો આ રાજદ્વારી સંઘર્ષ કેવી રીતે આગળ વધશે તેના પર સૌની નજર છે.
Related Articles
ટ્રુડોએ રાજદ્વારી વિવાદ માટે ભારતને જવાબદાર ગણાવ્યું
ટ્રુડોએ રાજદ્વારી વિવાદ માટે ભારતને જવાબ...
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી વિઝા પર પણ તવાઈ, ટૂંકસમયમાં લેવાશે નિર્ણય
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી...
Oct 14, 2024
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને પદ પરથી હટાવવા તેમના જ સાંસદો મેદાનમાં
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને પદ પરથી હટાવ...
Oct 14, 2024
કેનેડામાં કમાણી થશે હજુ અઘરી! વર્ક પરમિટના નિયમોમાં થઈ રહ્યા છે આ ફેરફાર
કેનેડામાં કમાણી થશે હજુ અઘરી! વર્ક પરમિટ...
Oct 10, 2024
કેનેડામાં રોજગારનું સંકટ! વેઈટરની નોકરી માટે 3000 ભારતીયો લાઈનમાં લાગ્યાનો દાવો
કેનેડામાં રોજગારનું સંકટ! વેઈટરની નોકરી...
Oct 05, 2024
કેનેડામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે ચેંડા:બદમાશોએ પ્રતિમા પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવ્યો
કેનેડામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સ...
Sep 28, 2024
Trending NEWS
15 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
14 October, 2024
Oct 15, 2024