હવે RBIની અદાણી સામે લાલ આંખ:બેંકોને પૂછ્યું - અદાણી ગ્રુપને કેટલી લોન આપી?
February 02, 2023

RBIએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (AEL)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, RBIના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલો FPO રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં 10% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, લોકસભા અને રાજ્યસભામાં આ મામલાની તપાસની માગને લઈને હોબાળો થયો હતો. એેને કારણે બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલા FPOને રદ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. આ પહેલાં બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 26.70% ઘટીને 2,179.75 પર બંધ રહ્યા હતા. આ જ કારણ હતું કે અદાણી ગ્રુપે FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો.
FPO રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરિ છે, બાકીનું બધું એ પછી આવે છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO રદ કર્યો છે. બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.
કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.'
'અદાણી એન્ટરપ્રાઇઝીસે 1 ફેબ્રુઆરીએ મળેલી બોર્ડ મિટિંગમાં નિર્ણય લીધો છે કે અમે FPOને આગળ નહીં લઈ જઈએ. હાલની પરિસ્થિતિ અને કંપનીની તાજેતરની બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના હિતમાં FPO સાથે આગળ ન વધવાનો અને વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું, 'અમે FPOમાં ભાગ લેવા બદલ રોકાણકારોનો આભાર માનીએ છીએ. FPOનું સબ્સ્ક્રિપ્શન 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું.
સ્ટોક અસ્થિર હોવા છતાં આ કંપની અમારા વ્યવસાય અને અમારા સંચાલનમાં તમારા વિશ્વાસ અને વિશ્વાસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. જોકે આજે બજાર સારું રહ્યું છે. અમારા શેરના ભાવમાં દિવસભર વધઘટ થતી રહી છે. આવા અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડને લાગ્યું કે આ તબક્કે આ FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. અમારા રોકાણકારોનું હિત સૌથી આગળ છે.
Related Articles
શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો:અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં ઘટાડો, સેન્સેક્સ ગગડી 57,500 નજીક
શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો:અદાણી ગ્રુ...
Mar 20, 2023
અદાણી એન્ટરપ્રાઇઝીસને ત્રીજા ક્વાર્ટરમાં 820 કરોડનો નફો:પરિણામ બાદ શેરમાં 4%નો ઉછાળો
અદાણી એન્ટરપ્રાઇઝીસને ત્રીજા ક્વાર્ટરમાં...
Feb 14, 2023
સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, ચાંદીમાં પણ ધૂમ
સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, ચાં...
Feb 02, 2023
બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીની મજબૂત શરૂઆત
બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સે...
Feb 01, 2023
શેરબજારમાં મંગળવારની શરૂઆત તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર વધારો
શેરબજારમાં મંગળવારની શરૂઆત તેજી સાથે સેન...
Jan 24, 2023
2023ના પહેલા જ દિવસે શેર બજારમાં તેજીનો માહોલ
2023ના પહેલા જ દિવસે શેર બજારમાં તેજીનો...
Jan 02, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023