Breaking News :
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન

રશિયામાં 7ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી ધરા, 600 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો

August 03, 2025

કામશ્યતકા : રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં 30 જુલાઈએ સવારે 8.8ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે (3 ઓગસ્ટે) ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે કુરીલ આઈલેન્ડની ધરતી ધ્રુજી ગઈ છે. એટલું જ નહીં ભૂકંપના કારણે 600 વર્ષ બાદ જ્વાળામુખી પણ ફાટ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારો એલર્ટ મોડ પર આવી ગયા છે.
અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, રશિયાના સેવેરો-કુરીલથી લગભગ 121 કિલોમીટર પૂર્વમાં સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભારતીય સમય અનુસાર ભૂકંપ સવારે 11 કલાકે આવ્યો હતો. ભૂકંપ બાદ કામચટકા દ્વિપકલ્પ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી સક્રિય થઈ ગયો છે. ‘સિન્હુઆ’ સમાચાર એજન્સીએ પણ કહ્યું છે કે, ભૂકંપના કારણે કમચટકા આઈલેન્ડ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટી ગયો છે. કુરીલ દ્વિપ પર સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
ભૂકંપ નિષ્ણાંતોના મતે કોઈપણ મોટો ભૂકંપ આવ્યા બાદ કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી મોટા આંચકા અને સતત આવતા રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેની તીવ્રતા ઘટતી રહે છે. 30 જુલાઈએ આવેલા ભૂકંપ બાદ જાહેર કરાયેલી સુનાવણીની ચેતવણી હટાવી લેવાઈ છે. આ ભૂકંપ આવ્યા બાદ બે ઓગસ્ટે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.0 આંકવામાં આવી હતી.
કમચટકા વોલ્કેનિક ઈરપ્શન રિસ્પોન્સ ટીમના જણાવ્યા મુજબ, 1856 મીટર ઊંચે આવેલા જ્વાળામુખીની રાખ લગભગ 6000 મીટર ઊંચે સુધી ઉડતી દેખાઈ છે. ટીમના પ્રમુખ ઓલ્ગા ગિરિનાએ કહ્યું કે, 600 વર્ષમાં પહેલીવાર આવો વિસ્ફોટ સંભળાયો છે. જ્વાળામુખીના ઢોળાવ પર લાવા તિરાડો પડી રહી છે. ઉત્તર દિશામાં ખાડામાંથી રાખના વાદળો સતત બહાર આવી રહ્યા છે અને સાથે જ મજબૂત વરાળ અને ગેસનું ઉત્સર્જન પણ થઈ રહ્યું છે. આ જ્વાળામુખીનું નામ તેના શોધક સ્ટેપન ક્રેશેનિનિકોવના નામ પરથી રાખવામાં આવ્યું છે.