વક્ફ બિલ ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ
April 04, 2025
રાષ્ટ્રીય લોક દળના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ વક્ફ બિલને પાર્ટીના સમર્થનથી નારાજ થઈને તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો જાહેર કરીને જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, 'તેઓ ભટકી ગયા છે. મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો, પરંતુ તેમણે સમુદાય સાથે ન્યાય ન કર્યો.
રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે, 'જયંત ચૌધરી ધર્મનિરપેક્ષતાના માર્ગથી ભટકી ગયા છે અને હવે તેમની નીતિઓ સમુદાયના હિતોની વિરુદ્ધ છે. મુસ્લિમોએ મોટી સંખ્યામાં જયંત ચૌધરીને મત આપ્યા હતા, પરંતુ તેઓએ અમારી સાથે ઉભા રહેવાને બદલે વકફ બિલને સમર્થન આપ્યું છે. જે અમારી લાગણીઓ અને અધિકારોની વિરુદ્ધ છે.'
રિઝવીએ તેમના વીડિયોમાં એમ પણ કહ્યું કે,'જે પક્ષોને મુસ્લિમોએ સમર્થન આપ્યું હતું, અને મુખ્યધારામાં લાવ્યા હતા, આજે એ જ પાર્ટીઓ તેમની વિરુદ્ધ બનેલા કાયદાઓનું સમર્થન કરી રહી છે.' તેમણે ખાસ કરીને જયંત ચૌધરીનું નામ લેતાં કહ્યું કે, 'જે નેતાઓ પોતાને ધર્મનિરપેક્ષ કહેતા હતા તેમણે આજે મુસ્લિમો સાથે દગો કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ(RLD)ના 10 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાં મુસ્લિમોનું મોટું યોગદાન હતું. મુસ્લિમોએ સર્વાનુમતે મતદાન કરીને આ પાર્ટીને મજબૂત બનાવી હતી, પરંતુ હવે જ્યારે તેમને જરૂર હતી ત્યારે પાર્ટીએ તેમને સાથ ન આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે, 'સરકારો તો આવતી અને જતી રહશે, પરંતુ સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. ચૌધરી ચરણ સિંહે બતાવેલા માર્ગથી ભટકવું યોગ્ય નથી. મુસ્લિમોના મનમાં વિશ્વાસ હતો કે આ પાર્ટી તેમના અધિકારોની વાત કરશે, પરંતુ હવે તેઓ છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.'
Related Articles
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટ...
May 05, 2026
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી...
May 05, 2026
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
Trending NEWS
05 May, 2026
05 May, 2026