મુખ્યમંત્રી અંગે વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાશે ઃ કેજરીવાલ
September 15, 2024

દિલ્હી : દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ જેલમાં રહ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપતા સૌને ચોંકાવી દીધા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચી રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું બે દિવસની અંદર રાજીનામું આપી દઈશ. હવે જ્યાં સુધી પ્રજા પોતાનો નિર્ણય ન સંભળાવે, ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદ પર નહીં બેસું.’ કેજરીવાલની આ ગેમે સૌને ચોંકાવી દીધા છે. દિલ્હીમાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કેજરીવાલનો આ નિર્ણય સૌને ચોંકાવી રહ્યો છે. જો કે કેજરીવાલે સૌને અચંબામાં મુક્યા હોય, તેવું પ્રથમવાર બન્યું નથી. દિલ્હીમાં ફેબ્રુઆરી-2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કેજરીવાલ આંદોલનના પડકારોમાંથી ઉભરી આવી રાજકારણમાં આવ્યા બાદ છેલ્લા એક દાયકાથી દિલ્હીના રાજકારણમાં સક્રિય છે. આમ આદમી પાર્ટી વર્ષ 2013થી દિલ્હીની સત્તા પર છે, ત્યારેથી જ કેજરીવાલ હંમેશા ચોંકાવનારા નિર્ણયો કરતા રહે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (15 સપ્ટેમ્બર) મોટી જાહેરાત કરીને કહ્યું છે કે, ‘હું બે દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. હું ઈચ્છું છું કે, દિલ્હીમાં વહેલી તકે ચૂંટણી યોજાય. હું કહેવા માંગુ છું કે, હું મુખ્યયંત્રી પદ બેસીસ નહીં અને મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી બનશે નહીં. હું અને સિસોદિયા પ્રજા વચ્ચે જઈશું. હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો નહીં આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો છે. આગામી મુખ્યમંત્રી અંગે વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાશે.’
Related Articles
વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત
વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં...
Apr 30, 2025
AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું
AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસા...
Apr 30, 2025
પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, CCSની બેઠકમાં નિર્ણય
પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુ...
Apr 30, 2025
ભારતની એક ધમકીથી પાકિસ્તાનીઓમાં સળવળાટ, હવે સિંધુ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં જશે
ભારતની એક ધમકીથી પાકિસ્તાનીઓમાં સળવળાટ,...
Apr 30, 2025
ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ
ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વ...
Apr 30, 2025
દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ : નરેન્દ્ર મોદી , CCS, CCPAની મીટિંગમાં હાજર
દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ : નર...
Apr 30, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025